અંકલેશ્વર : જુના ને.હા.8 પર રસ્તાની મરામતની કામગીરીથી ટ્રાફિક સમસ્યા સર્જાઈ,એક તરફનો રોડ ખોદી કાઢતા વાહન ચાલકો પરેશાન

માર્ગની મરામતને પગલે ભારે ટ્રાફિકજામ સર્જાયો છે,અને અસહ્ય ગરમીમાં વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાતા પરેશાન થઇ ગયા છે. ટ્રાફિકજામની સ્થિતિને હળવી કરવા માટે પ્રયત્નો કરતા પોલીસ તંત્ર માટે પણ આ સમસ્યા વિકટ બની ગઈ

New Update
  • જુના ને.હા.નં 8 પર રસ્તો ખોદી નાખતા હાલાકી

  • એક તરફનો વાહન વ્યવહાર બંધ રહેતા ટ્રાફિક સર્જાયો

  • સાંકડા માર્ગ પરથી બંને તરફનો વાહન વ્યવહાર કાર્યરત

  • પોલીસતંત્ર માટે ટ્રાફિકની સમસ્યા વિકટ બની

  • યુદ્ધના ધોરણે માર્ગ બનાવવા માટે વાહન ચાલકોની માંગ 

અંકલેશ્વરમાં જુના નેશનલ હાઇવે નંબર 8 મહાવીર ટર્નિંગ પાસે એક તરફનો રોડ ખોદીને નવો માર્ગ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.જેના કારણે બીજી તરફ કાળઝાળ ગરમીમાં ભારે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ છે.

અંકલેશ્વર જુના નેશનલ હાઇવે નંબર 8 મહાવીર ટર્નિંગથી ઉમા ભવન ફાટક સુધી એક તરફનો માર્ગ રાતોરાત ખોદી નાખવામાં આવ્યો છે,અને બીજી તરફના સાંકડા માર્ગ પરથી બંને બાજુનો વાહન વ્યવહાર ચાલી રહ્યો છે.જોકે માર્ગની મરામતને પગલે ભારે ટ્રાફિકજામ સર્જાયો છે,અને અસહ્ય ગરમીમાં વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાતા પરેશાન થઇ ગયા છે.

ટ્રાફિકજામની સ્થિતિને હળવી કરવા માટે પ્રયત્નો કરતા પોલીસ તંત્ર માટે પણ આ સમસ્યા વિકટ બની ગઈ છે.અને રાતો રાત રસ્તાને ખોદી નાખ્યા બાદ યુદ્ધના ધોરણે રસ્તો બનાવવામાં આવે તેવી માંગ વાહન ચાલકો કરી રહ્યા છે. 

Read the Next Article

ભરૂચ : જિલ્લાની 67 ગ્રામ પંચાયત રાજની ચૂંટણી માટે યોજાયું મતદાન,મતદારોનો જોવા મળ્યો ઉત્સાહ

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી

New Update

ભરૂચ જિલ્લામાં પંચાયતીરાજની યોજાઈ ચૂંટણી

67 ગ્રામ પંચાયતો માટે યોજાઈ ચૂંટણી

શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન

વૃદ્ધ અને અશક્ત મતદારોએ પણ બતાવ્યો ઉત્સાહ

ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ  

25 જૂને યોજાશે મતગણતરી

ભરૂચ જિલ્લાની પંચાયતીરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.સવારના 7 વાગ્યાથી શરૂ થયેલા મતદાન પ્રક્રિયામાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી.જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.અને સવારથી જ મતદારોમાં મતદાન માટેનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચના તવરા,ઝાડેશ્વર, બંબુસર સહિતની ગ્રામ પંચાયતો માટે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.બંબૂસર ગામે સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ હતી.બંબુસર ગામે સરપંચ પદ માટે અત્યાર સુધી સમરસ થતું આવ્યું હતું અને 2021માં ચૂંટણી યોજાઈ હતી.જેમાં મતદાનના 2 દિવસ પહેલા સરપંચ પદના ઉમેદવારનું નિધન થતા ચૂંટણી ઠેલાઈ હતી. સરપંચ પદ માટે હાલ યોજાઈ રહેલી ચૂંટણીમાં બંબૂસર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ છે.જેમાં 3 ઉમેદવારોએ ઉમેદવારી કરતા આજરોજ મતદાન યોજાયું હતું.અને  મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.

આ ઉપરાંત તવરા ગ્રામ પંચાયતની બેઠક પર મતદાન બુથ પર મતદારોની લાંબી કતાર જોવા મળી હતી,અને વરસતા વરસાદમાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

મતદાન પ્રક્રિયા દરમિયાન પોલીસ દ્વારા અશક્ત મતદારો માટે સરાહનીય કામગીરી કરવામાં આવી હતી,અને લોકશાહીના પર્વમાં વૃદ્ધ અને અશક્ત મતદારોએ ઉત્સાહભેર મતદાન કરીને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા હતા.  

અંકલેશ્વર તાલુકામાં 23 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી.તાલુકાની કુલ 27 ગ્રામ પંચાયતમાંથી 4 પંચાયતો સમરસ જાહેર થઈ હતી.23 ગ્રામ પંચાયતોમાંથી 12 ગ્રામ પંચાયતોને સંવેદનશીલ જાહેર કરવામાં આવી હતી.ચૂંટણીની કામગીરીમાં 250 કર્મચારીઓ જોડાયા હતા. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અંકલેશ્વરના માંડવા,કોસમડી,સજોદ સહિત 23 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.અને ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આગામી તારીખ 25મી જૂનના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી યોજવામાં આવશે,અને ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.