અંકલેશ્વર: સારંગપુર ગામમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા, રૂ.1.81 લાખના માલમત્તાની ચોરી

ઉનાળુ વેકેશન પડતા જ ભરૂચ જિલ્લામાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ બંધ ઘરોને એક બાદ એક નિશાન બનાવી રહ્યાં છે.

New Update
  • અંકલેશ્વરમાં ચોરીનો બનાવ

  • સારંગપુર ગામમાં તસ્કરો ત્રાટકયા

  • બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન

  • રૂ.1.81 લાખના માલમત્તાની ચોરી

  • પોલીસે તપાસ શરૂ કરી

Advertisment
અંકલેશ્વરના સારંગપુર ગામમાં તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી રૂ.1.81 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા.
ઉનાળુ વેકેશન પડતા જ ભરૂચ જિલ્લામાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ બંધ ઘરોને એક બાદ એક નિશાન બનાવી રહ્યાં છે. અંકલેશ્વરના સારંગપુર ગામે પટેલ ફળિયામાં ત્રાટકેલા તસ્કરોએ એક બંધ ઘરને નિશાન બનાવ્યું હતું. ખાનગી કંપનીમાં નોકરી કરતા જીતેન્દ્ર પટેલ પરિવાર સાથે ભાણેજના લગ્નમાં દહેજ ગયા હતા. જ્યાંથી પરત ફરતા મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું. ઘરમાં જોતા તિજોરી ખુલ્લી હતી. તસ્કરો તિજોરીમાંથી સોનાની ચેઇન, 2 જોડી બુટ્ટી, ત્રણ પેન્ડલ મળી 2 તોલા સોનુ અને રોકડા 5 હજારનો હાથ ફેરો કરી ગયા હતા. ચોરી અંગે જીઆઇડીસી પોલીસ મથકે રૂપિયા એક લાખ 81 હજારની ચોરી અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
Advertisment
Latest Stories