અંકલેશ્વર: સારંગપુર ગામમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા, રૂ.1.81 લાખના માલમત્તાની ચોરી

ઉનાળુ વેકેશન પડતા જ ભરૂચ જિલ્લામાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ બંધ ઘરોને એક બાદ એક નિશાન બનાવી રહ્યાં છે.

New Update
  • અંકલેશ્વરમાં ચોરીનો બનાવ

  • સારંગપુર ગામમાં તસ્કરો ત્રાટકયા

  • બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન

  • રૂ.1.81 લાખના માલમત્તાની ચોરી

  • પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરના સારંગપુર ગામમાં તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી રૂ.1.81 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા.
ઉનાળુ વેકેશન પડતા જ ભરૂચ જિલ્લામાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ બંધ ઘરોને એક બાદ એક નિશાન બનાવી રહ્યાં છે. અંકલેશ્વરના સારંગપુર ગામે પટેલ ફળિયામાં ત્રાટકેલા તસ્કરોએ એક બંધ ઘરને નિશાન બનાવ્યું હતું. ખાનગી કંપનીમાં નોકરી કરતા જીતેન્દ્ર પટેલ પરિવાર સાથે ભાણેજના લગ્નમાં દહેજ ગયા હતા. જ્યાંથી પરત ફરતા મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું. ઘરમાં જોતા તિજોરી ખુલ્લી હતી. તસ્કરો તિજોરીમાંથી સોનાની ચેઇન, 2 જોડી બુટ્ટી, ત્રણ પેન્ડલ મળી 2 તોલા સોનુ અને રોકડા 5 હજારનો હાથ ફેરો કરી ગયા હતા. ચોરી અંગે જીઆઇડીસી પોલીસ મથકે રૂપિયા એક લાખ 81 હજારની ચોરી અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
Read the Next Article

ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો...

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • જિલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ

  • જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા આયોજન

  • નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરાયું

  • ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • સરકાર સમક્ષ ડ્રાઇવર વર્ગની સમસ્યા રજૂ કરવાનો ઉદ્દેશ્ય

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડમાં જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં અવસાન પામેલા ડ્રાઇવરોના સ્મરણાર્થે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ કનુ વાળંદ અને ભુપેન્દ્ર પરમારની આગેવાની હેઠળ નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો હતો. આ સાથે જ ડ્રાઇવર કેડરના ઘટતા પ્રમાણ અને તેની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ બેચર રાઠોડે જણાવ્યું હતું કે, “નિવૃત થયેલા ડ્રાઇવરોને સરકાર તરફથી મળતી રિટાયરમેન્ટ સ્કીમના તમામ હકો સમયસર અને યોગ્ય રીતે મળી રહે તે જરૂરી છે. જેથી તેમનું જીવન સુખમય બની રહે.” આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર સન્માન નથી. પરંતુ રાજ્ય સરકાર અને તંત્ર સમક્ષ ડ્રાઇવર વર્ગની જરૂરિયાતો અને સમસ્યાઓ રજૂ કરવાનો પણ હતો.