અંકલેશ્વર: GIDCની સાંઈ પ્રતીક રેસિડેન્સીમાં તસ્કરો ત્રાટકયા, બંધ મકાનમાંથી રૂ.1.29 લાખના સામાનની ચોરી

તસ્કરોએ મુખ્ય દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કરી ઘરમાં રહેલ સોનાના ઘરેણાં અને રોકડા 30 હજાર મળી કુલ 1.29 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા

New Update
  • અંકલેશ્વરમાં ફરીવાર તસ્કરો ત્રાટકયા

  • જીઆઇડીસીની પ્રતિક રેસી.માં ચોરી

  • બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન

  • રૂ.1.29 લાખના સામાનની ચોરી

  • જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ગોલ્ડન પોઇન્ટ સ્થિત સાંઈ પ્રતીક રેસિડેન્સીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા અને સોનાના ઘરેણાં મળી કુલ 1.29 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
મૂળ મહેસાણા અને હાલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ગોલ્ડન પોઇન્ટ સ્થિત સાંઈ પ્રતીક રેસિડેન્સીમાં રહેતા તીર્થ અનિલકુમાર પટેલ તેઓની પત્ની સાથે નોકરી પર ગયા હતા.જ્યારે તેઓની માતા ઘરનું તાળું મારી તેઓના સંબંધીનાં ઘરે ગયા હતા તે દરમિયાન ગતરોજ તસ્કરો ત્રાટકયા હતા.
તસ્કરોએ મુખ્ય દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કરી ઘરમાં રહેલ સોનાના ઘરેણાં અને રોકડા 30 હજાર મળી કુલ 1.29 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.