અંકલેશ્વર: ગડખોલની માયાનગરી સોસા.માં તસ્કરો ત્રાટકયા, મકાનમાંથી રૂ.13.66 લાખના દાગીનાની ચોરી !

અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ માયાનગરી સોસાયટીના  મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 13.66 લાખના સોના ચાંદીના દાગીના સહિતના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

New Update
  • અંકલેશ્વરમાં ફરીએકવાર ચોરીનો બનાવ

  • ગડખોલની માયાનગરી સોસા.માં તસ્કરો ત્રાટકયા

  • મકાનમાંથી રૂ.13.66 લાખના દાગીનાની ચોરી

  • પરિવાર ઉપરના માળે નિંદ્રા માણી રહ્યો હતો

  • બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ માયાનગરી સોસાયટીના  મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 13.66 લાખના સોના ચાંદીના દાગીના સહિતના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ માયાનગરી સોસાયટીના મકાન નંબર બી- 13માં રહેતા ચંદ્રેશ્વર યાદવ હાલ નિવૃત્તિ જીવન ગુજારે છે અને તેમના પુત્ર અમદાવાદ ખાતે નોકરી કરે છે. ગત તારીખ 12મી મેની રાત્રીએ તેઓ તેમના મકાનના ગ્રાઉન્ડ ફ્લોરના દરવાજાનું તાળુ મારી ઉપરના માળે સુવા ગયા હતા તે દરમિયાન રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમે મકાનમાં પ્રવેશ કરી કબાટમાં મુકેલ રૂપિયા 13.66 લાખના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.સવારે તેઓ નીચે ઉતરતા ગ્રાઉન્ડફ્લોરના મકાનનું તાળુ તૂટેલી હાલતમાં હતુ અને અંદર તપાસ કરતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.આ અંગે તેઓએ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બનાવ સંદર્ભે ચોરી અંગેની ફરિયાદ નોંધી ફરાર તસ્કરોનું પગેરૂ મેળવવા ચક્રોગતિમાન કર્યા છે.
Read the Next Article

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે નબીપુર નજીકથી કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું, રૂ.39 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. ડી.એ.તુવરની ટીમ નેહા.૪૮ પર નાઈટ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે નેશનલ હાઇવે ૪૮ ઉપર ભરૂચથી વડોદરા જતા ટ્રેક

New Update
css bh
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. ડી.એ.તુવરની ટીમ નેહા.૪૮ પર નાઈટ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે નેશનલ હાઇવે ૪૮ ઉપર ભરૂચથી વડોદરા જતા ટ્રેક ઉપર રીલીફ હોટલ નજીક ટેન્કર નંબર GJ 12 AZ 1612 માંથી ત્રણ ઇસમો ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિકના કારબામાં કંઇક પ્રવાહી કાઢી પીકઅપ ડાલામાં મુકે છે જે આધારે પોલીસે દરોડા પાડતા 3 આરોપીઓ કેમિકલની ચોરી કરતા રંગેહાથ ઝડપાય ગયા હતા. આરોપીઓ હજીરા અદાણી પોર્ટમાંથી સ્ટાયરીન (SM) કેમીકલ ભરી વડોદરા નંદેસરી જી.આઈ.ડી.સી.માં ખાલી કરવાં જતું હતું અને ડ્રાઈવર દ્વારા નંદેસરી પહોંચે તે પહેલા કેમીકલ માફીયાઓનો સંપર્ક કરી ટેન્કરનું સીલ તોડી, કેમિકલ ચોરી પ્લાસ્ટીકના કારબાઓ ભરી એક કારબો ૧૫૦૦/- માં વહેંચતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે  તુલસારામ જસારામ જાટ ઉ.વ.૪૫ રહેવાસી, ધને કી ધાની ગામ તા & થાના સીન્ધરી જિ.બલોતરા (રાજસ્થાન) (ટેન્કર ડ્રાઈવર), સત્તાર ઉર્ફે સમીર મલંગશા દિવાન ઉ.વ.૩૪ હાલ રહે.પાલેજ સાલેહ પાર્ક પ્લોટ નં.૧૨૨/૧૨૩ મહેરબાન ગુલામભાઇના મકાનમાં ભાડેથી તા.જિ.ભરૂચ મૂળ રહેવાસી.ઘર નં.૦૭ રાજાવાડી સૈયદપુરા સુરત શહેર, વસીમ સીરાજ દીવાન ઉ.વ.૧૯ રહેવાસી. માલપુર ગામ પટેલ ફળીયુ તા.શીનોર જિ.વડોદરાની ધરપકડ કરી રૂ.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.