અંકલેશ્વર: નર્મદા નદીમાં બોટ મારફતે વિદેશી દારુની હેરાફેરી, રૂ.5 લાખથી વધુના મુદ્દામાલ સાથે 1 આરોપીની ધરપકડ

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નર્મદા નદીમાં બોટ મારફતે લવાતા વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો.પોલીસે રૂપિયા પાંચ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે

New Update
  • અંકલેશ્વર એ ડિવિઝન પોલીસની કાર્યવાહી

  • નર્મદા નદીમાં બોટ મારફતે થતી હતી હેરાફેરી

  • વિદેશી દારૂની કરવામાં આવી હતી હેરાફેરી

  • રૂ.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

  • એક આરોપીની ધરપકડ

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નર્મદા નદીમાં બોટ મારફતે લવાતા વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો.પોલીસે રૂપિયા પાંચ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે નર્મદા નદીમાંથી વિદેશી દારૂની હેરાફેરી થનાર છે જેના આધારે પોલીસે ગોલ્ડન બ્રિજના નર્મદા નદીના અંકલેશ્વર છેડા તરફ વોચ ગોઠવી હતી.આ દરમિયાન બાતમી વાલી બોટ આવતા તેને અટકાવી તપાસ કરતાં અંદરથી રૂપિયા 2.86 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે બોટમાંથી ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા લાલા મકવાણા નામના આરોપીની ધરપકડ કરી છે જ્યારે આ મામલામાં અન્ય પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે વિદેશી દારૂ, બોટ અને મોબાઈલ મળી કુલ રૂપિયા 5.76 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.