-
ભારત પાકિસ્તાન વચ્ચે વધતો તણાવ
-
ભરૂચમાં પોલીસ એલર્ટ મોડ પર
-
આલિયા બેટ પર સુરક્ષા વધારાઈ
-
પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરાયુ
-
સિવિલ સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વનો છે વિસ્તાર
ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે બંને દેશો એકબીજા પર જવાબી કાર્યવાહી કરી રહ્યા છે ત્યારે સમગ્ર દેશમાં એલર્ટ આપવામાં આવી રહ્યું છે.ખાસ કરીને કોસ્ટલ વિસ્તારમાં વિશેષ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી રહી છે ત્યારે ભરૂચના હાસોટ નજીક નિર્જન સ્થળે આવેલ આલિયાબેટ પર પણ પોલીસ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી છે.
પોલીસ દ્વારા આલિયાબેટ પર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છેમઆલિયાબેટ પર રહેતા પરિવારોની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે અને કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસને સંપર્ક સાધવા આદેશ આપવામાં આવ્યા છે. આલિયાબેટ પર લંગારવામાં આવેલી બોટનું પણ ચેકિંગ કરવામાં આવ્યું છે.
આલિયાબેટ ભરૂચ જિલ્લામાંથી વહેતી અને અરબી સમુદ્રમાં ભળી જતી નર્મદા નદીના ત્રિકોણ પ્રદેશમાં આવેલ એક બેટ છે. આ બેટ પર 500 જેટલા કરછી મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે.આ વિસ્તાર સિવિલ સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો ગણવામાં આવે છે ત્યારે તંત્ર તેના પર બાજ નજર રાખી રહ્યું છે.