અંકલેશ્વર:તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન, કલેકટર ગૌરાંગ મકવાણા રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 16 જેટલા પ્રશ્નો રજૂ કરાયા હતા

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

  • કલેકટર ગૌરાંગ મકવાણા રહ્યા ઉપસ્થિત

  • 16 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા

  • રાજ્ય-જિલ્લા કક્ષા બાદ હવે તાલુકાકક્ષાએ સ્વાગત કાર્યક્રમનું આયોજન

અંકલેશ્વર તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 16 જેટલા પ્રશ્નો રજૂ કરાયા હતા

સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની રાજ્ય અને જિલ્લાકક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકાકક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકાકક્ષાએ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવા આદેશ આપવામાં આવ્યો હતો જે અંતર્ગત અંકલેશ્વર તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ મામલતદાર કચેરી ખાતે યોજાયો હતો. જેમાં કલેકટર ગૌરાંગ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ સાથે જ મામલતદાર કિરણસિંહ રાજપૂત સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જમીન, દક્ષિણ ગુજરાત વીજ કંપની અને નગરપાલિકાને લગતા 16 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યો હતો જે પૈકી મોટાભાગના પ્રશ્નોનો નિકાલ કરાયો હતો.લોકોના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ આવે એ હેતુથી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે

Read the Next Article

ભરૂચ: નગર સેવા સદન દ્વારા બિસ્માર માર્ગો પર થીંગડા મરવાનું શરૂ કરાયું, કેટલા દિવસ ટકે એ જોવું રહ્યું !

ભરૂચ શહેરમાં વરસાદી મહોલ વચ્ચે ઠેર ઠેર વિવિધ માર્ગો પર ખાડા પડ્યા છે ત્યારે નગરપાલિકાએ આખરે ખાડા પૂરવાનું અભિયાન શરૂ કર્યું છે

New Update
  • ભરૂચમાં ચોમાસામાં વિવિધ માર્ગો બન્યા બિસ્માર

  • વરસાદી માહોલ વચ્ચે માર્ગો પર પડ્યા ખાડા

  • મસમોટા ખાડાના કારણે વાહનચાલકો પરેશાન

  • નગરપાલિકાએ ખાડા પુરવાનું શરૂ કર્યું

  • લાખો રૂપિયાનો કરાશે ખર્ચ !

ભરૂચ શહેરમાં વરસાદી મહોલ વચ્ચે ઠેર ઠેર વિવિધ માર્ગો પર ખાડા પડ્યા છે ત્યારે નગરપાલિકાએ આખરે ખાડા પૂરવાનું અભિયાન શરૂ કર્યું છે
ભરૂચમાં વરસાદની સાથે જ નગરપાલિકાએ દર વર્ષની જેમ ખાડા પુરવાના અભિયાનનો પ્રારંભ કર્યો છે. શહેરના આઇકોનિક રોડ સહિત મુખ્ય માર્ગો પર વરસાદનના કારણે પડેલા ખાડાઓને પૂરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરીને કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.નગરપાલિકા દ્વારા દર વર્ષે રોડનું નવીનીકરણ અને સમારકામ કરવામાં આવે છે પરંતુ વરસાદ શરૂ થતાં જ એ જ રસ્તાઓ ફરી ખસ્તાહાલ બની જતા હોવાથી આ અભિયાન જરૂરી બની જાય છે.
આજના દિવસે શહેરના શક્તિ સર્કલથી ભૃગુઋષિ બ્રિજના નીચે આવેલા સર્વિસ રોડ પર મોટા ખાડાઓને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંગે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે વરસાદી માહોલ વચ્ચે લોકોને અગવડ ન પડે એ માટે ખાડાઓ પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.આવનારા સમયમાં અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની કામગીરી કરાશે.