અંકલેશ્વર: તાલુકા પોલીસે ગુમ અથવા ચોરી થયેલ 4 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા

કેન્દ્ર સરકારના સી.ઇ.આઈ.આર.પોર્ટલના માધ્યમથી ગુમ થઇ ગયેલ મોબાઇલ ફોન એકટીવ થયા હતા જેને સ્ટ્રેસ કરી કુલ 4 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા

New Update
ankleshwar police
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ડકારા  CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી જેના આધારે અંકલેશ્વર તાલુકા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
પોલીસે કેન્દ્ર સરકારના સી.ઇ.આઈ.આર.પોર્ટલના માધ્યમથી ગુમ થઇ ગયેલ મોબાઇલ ફોન એકટીવ થયા હતા જેને સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે.પોલીસે કુલ 4 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.
Latest Stories