અંકલેશ્વર: તા.22 જાન્યુઆરીએ તાલુકા-ગ્રામ્ય કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

અંકલેશ્વર ગ્રામ્ય તેમજ તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમનું તારીખ 22 જાન્યુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તારીખ 10 જાન્યુઆરી સુધીમાં સ્વાગત પોર્ટલ પર ફરિયાદ અરજી  કરવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે

New Update
  • રાજ્ય સરકારનો પ્રજાલક્ષી કાર્યક્રમ

  • અંકલેશ્વર તાલુકા-ગ્રામ્ય કક્ષાએ કાર્યક્રમ યોજાશે

  • ફરિયાદ નિવારણ કાર્યક્રમનું કરવામાં આવ્યું આયોજન

  • 10 જાન્યુઆરી સુધી ફરિયાદ અરજી કરી શકાશે

  • 22 જાન્યુઆરીના રોજ યોજાશે કાર્યક્રમ

Advertisment
અંકલેશ્વર ગ્રામ્ય તેમજ તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમનું તારીખ 22 જાન્યુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તારીખ 10 જાન્યુઆરી સુધીમાં સ્વાગત પોર્ટલ પર ફરિયાદ અરજી  કરવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્ય સરકાર તરફથી જિલ્લાકક્ષાના પ્રશ્નો, ફરિયાદો માટે લોકોએ ઉચ્ચકક્ષાએ ગાંધીનગર સુધી ન જવું પડે તે માટે જિલ્લા કક્ષાએ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસનું આયોજન કરવા માટે સૂચન કર્યું હતું ત્યારે આગામી તા. 22/1/2025ને બુધવારે અંકલેશ્વર તાલુકામાં ગ્રામ્ય તેમજ તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે.અંકલેશ્વર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ નાયબ કલેક્ટરની અધ્યક્ષતા હેઠળ યોજાશે આ માટે તા.1/1/2025 થી તા.10/1/2025 દરમ્યાન સ્વાગત પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ અરજી કરવાની રહેશે. તંત્રને મળેલી ફરિયાદોન્ક હકારાત્મક રીતે નિકાલ લાવવા પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે સરકારના આ પ્રજાલક્ષી કાર્યક્રમનો લાભ લેવા અંકલેશ્વરના મામલતદાર કિરણસિંહ રાજપૂત દ્વારા અનુરોધ કરાયો છે.
Advertisment
Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડમાં હાંસોટના 4 ગામોમાં પોલીસની તપાસ, પંચકેસ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરાય

ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય 

New Update
  • ભરૂચમાં બહાર આવ્યું મનરેગા કૌભાંડ

  • 3 તાલુકાના ગામોમાં કૌભાંડ આચરાયું

  • પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

  • ગામોમાં પંચકેસ સહિતની પ્રક્રિયા શરૂ કરાય

  • 9 પોલીસકર્મીઓનો તપાસ ટીમમાં સમાવે સમાવેશ થાય છે 

Advertisment

 

ભરૂચ જિલ્લામાં બહાર આવેલ મનરેગા કૌભાંડમાં પોલીસની ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના 4 ગામોમાં તપાસ કરી પંચકેસ સહિતની કાર્યવાહી કરી હતી ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય  હતી.આ બે એજન્સીઓમાં વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એજન્સીનો સમાવેશ થાય છે. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. જેમાં 3 અધિકારીઓ અને 6 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આ અંગે તપાસ અધિકારી આર.એમ.વસાવાએ જણાવ્યુ હતું કે ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના સમલી, કંટીયાજાળ, બોલાવ અને સુણેવખુદ ગામમાં તપાસ કરવામાં આવી હતી.પોલીસકર્મીઓ દ્વારા પંચકેસ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.ભરૂચ જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ આચરાયુ હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે જેમાં હાંસોટ તાલુકાના સૌથી વધુ ગામોનો સમાવેશ થાય છે.

Advertisment