અંકલેશ્વર: કાળઝાળ ગરમી વચ્ચે  NH 48 પર ટેન્કરમાં આગ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ.

અંકલેશ્વર નજીક હાઈવે પરથી પસાર થઈ રહેલ ટેન્કરમાં અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો

New Update
  • અંકલેશ્વર નજીક આગનો વધુ એક બનાવ

  • NH 48 પર ટેન્કરમાં આગ ફાટી નિકળી

  • ટેન્કરની કેબિનમાં આગ

  • ટેન્કર ચાલકનો આબાદ બચાવ

  • ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

અંકલેશ્વર નજીક હાઈવે પરથી પસાર થઈ રહેલ ટેન્કરમાં અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો
અંકલેશ્વરમાં કાળજાળ ગરમી વચ્ચે આગ લાગવાના બનાવવામાં વધારો થયો છે ત્યારે આજરોજ ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો. અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર મુલદ ટોલપ્લાઝા નજીકથી પસાર થઈ રહેલ એક ટેન્કરમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી ટેન્કરની કેબિનમાં આગ ફાટી નિકળતા  ચાલક સમય સુચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો બનાવની જાણ થતાની સાથે જ ભરૂચ નગર સેવાસદનના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ટેન્કર દહેજ ઔદ્યોગિક વસાહતમાં જઈ રહ્યું હતું તે દરમિયાન આગની ઘટના બની હતી જોકે કોઈ જાનહાની ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો
Read the Next Article

ભરૂચ: છોટુ વસાવાને 80માં જન્મદિવસે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા, કહ્યું કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા કર્યો પ્રયાસ !

આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે.

New Update
  • ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય

  • છોટુ વસાવા બન્યા બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ

  • 80માં જન્મદિવસે કરાય જાહેરાત

  • મહેશ વસાવાએ ટેકો જાહેર કર્યો

  • મોટી સંખ્યામાં સમર્થકો રહ્યા ઉપસ્થિત

ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાને 80 માં જન્મદિવસે  BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવતા ટેકેદારોએ આ જાહેરાતને વધાવી લીધી હતી
આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓના જન્મદિવસે તેમને શુભેચ્છા પાઠવવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય પુત્ર મહેશ વસાવા, દિલીપ વસાવા, કિશોર વસાવા સાથે અન્ય આગેવાનો પણ ઉમટી પડ્યા હતા.વાલિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રાજુભાઇ વસાવા, રજની વસાવા, વિજય વસાવા સહિતના આગેવાનો તેમજ સમર્થકોની હાજરીમાં છોટુ વસાવાના જન્મદિવસની ઉજવણી કરી તેઓને શુભકામનાઓ પાઠવાઈ હતી.
પૂર્વ ધારાસભ્યના જન્મદિવસે જ તેઓને BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.તાજેતરમાં જ ભાજપ સાથે મોહભંગ થતા રાજીનામુ આપનાર તેમના પુત્ર મહેશ વસાવાએ આ જાહેરાતને ટેકો જાહેર કર્યો હતો. આ અંગે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા પ્રયાસ કર્યા હતા પરંતુ હવે અમે એક થઈ લડીશું