અંકલેશ્વર: કાળઝાળ ગરમી વચ્ચે  NH 48 પર ટેન્કરમાં આગ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ.

અંકલેશ્વર નજીક હાઈવે પરથી પસાર થઈ રહેલ ટેન્કરમાં અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો

New Update
  • અંકલેશ્વર નજીક આગનો વધુ એક બનાવ

  • NH 48 પર ટેન્કરમાં આગ ફાટી નિકળી

  • ટેન્કરની કેબિનમાં આગ

  • ટેન્કર ચાલકનો આબાદ બચાવ

  • ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

અંકલેશ્વર નજીક હાઈવે પરથી પસાર થઈ રહેલ ટેન્કરમાં અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો
અંકલેશ્વરમાં કાળજાળ ગરમી વચ્ચે આગ લાગવાના બનાવવામાં વધારો થયો છે ત્યારે આજરોજ ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો. અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર મુલદ ટોલપ્લાઝા નજીકથી પસાર થઈ રહેલ એક ટેન્કરમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી ટેન્કરની કેબિનમાં આગ ફાટી નિકળતા  ચાલક સમય સુચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો બનાવની જાણ થતાની સાથે જ ભરૂચ નગર સેવાસદનના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ટેન્કર દહેજ ઔદ્યોગિક વસાહતમાં જઈ રહ્યું હતું તે દરમિયાન આગની ઘટના બની હતી જોકે કોઈ જાનહાની ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો
Read the Next Article

અંકલેશ્વર : કોસમડી ગામે વીજ તાર તૂટીને પડવાથી બે અબોલ પશુઓના વીજ કરંટથી મોત

અંકલેશ્વરનાકોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

New Update
  • કોસમડીમાં વીજ તાર તૂટીને પડવાનો મામલો

  • બે મહિલાઓ પશુ ચરાવવા માટે ગઈ હતી 

  • સાંજે પરત ફરીથી વેળાએ બની ઘટના

  • ખાડી પાસે વીજ તાર તૂટીને પડ્યો હતો

  • વીજ કરંટ લાગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની ખાડી પાસે વીજ લાઈનનો એક તાર તૂટીને પડ્યો હતો,જેનો કરંટ બે અબોલ પશુઓને લગતા મોતને ભેટ્યા હતા. અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના નવાપરા ફળિયામાં રહેતા જમણા વસાવા અને રેવા વસાવા પોતાની ભેંસોને ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતા,ત્યાંથી સાંજના સુમારે પરત ફરતી વેળાએ એક દુર્ઘટના સર્જાય હતી.

જેમાં કોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લાગ્યો હતો,વીજ કરંટના જોરદાર ઝટકાથી એક ભેંસ અને પાડાના મોત નિપજ્યા હતા,ઘટના અંગે જમના વસાવાએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.