અંકલેશ્વર: AC ડોમમાં ગરબાની ધુમ તો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ ખેલૈયાઓએ રંગત જમાવી, જુઓ નવ નવેલી રાતના રંગ !

નવરાત્રી તેના મધ્ય ચરણમાં પહોંચ્યું છે ત્યારે અંકલેશ્વર જીઆઇડીસીના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે અને માતાજીની આરાધના કરી રહ્યા છે

New Update
  • અંકલેશ્વરમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી

  • ઠેર ઠેર ગરબા મહોત્સવનું આયોજન

  • એસી ડોમમાં ગરબે ઘુમતા ખેલૈયાઓ

  • ગરબે ઘૂમી માતાજીની કરી આરાધના

  • મોડી રાત સુધી ગરબાની ધૂમ

નવરાત્રી તેના મધ્ય ચરણમાં પહોંચ્યું છે ત્યારે અંકલેશ્વર જીઆઇડીસીના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે અને માતાજીની આરાધના કરી રહ્યા છે
જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રી તેના મધ્ય ચરણમાં પહોંચ્યું છે ત્યારે અંકલેશ્વરના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. અંકલેશ્વર જીઆઇડીસીમાં સૌપ્રથમવાર યુવા મિત્ર મંડળ દ્વારા એસી ડોમમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તાલનો રંગ યુવાને થીમ પર યુવા મિત્ર મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે જેમાં એસીડોમમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે.
તો આ તરફ પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ કલાકારો ખેલૈયાઓને મન મૂકીને ગરબે ગુમાવી રહ્યા છે
આ તરફ ખોડલધામ પરિવાર દ્વારા પણ અંકલેશ્વરમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્સર હોસ્પિટલના લાભાર્થે યોજાઇ રહેલ નવરાત્રિ મહોત્સવમાં કવિ રબારી, મિલન મહેર અને ભાવિકા સાવલિયા સહિતના કલાકારો ખેલૈયાઓને ગરબે ગુમાવી રહ્યા છે.
અંકલેશ્વર જીઆઇડીસીની મધ્યમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિર ખાતે પણ પ્રતિવર્ષની જેમ આ વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. જગતજનની માં જગદંબાની આરાધના ગરબે ઘૂમી અને કરવામાં આવી રહી છે. વિવિધ કલાકારો દ્વારા ગરબા રમાડવામાં આવી રહ્યા છે નવરાત્રી મહોત્સવ દરમિયાન  અનિરછનિય બનાવ ન બને તે માટે તમામ ગરબા ગ્રાઉન્ડ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
Latest Stories