અંકલેશ્વર: ત્રણ રસ્તા શાકમાર્કેટ બહાર વેપારીઓ માટે તંત્ર દ્વારા જગ્યાની ફાળવણી કરાય, ટ્રાફિકને અડચણ ઉભું કરશે તો થશે કાર્યવાહી !

અંકલેશ્વર નગરપાલિકાએ તાજેતરમાં ત્રણ રસ્તા શાક માર્કેટમાં જાહેર માર્ગ પરથી દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી જેના પગલે પથારાવાળાઓએ નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરી હતી.

New Update
  • અંકલેશ્વરના ત્રણ રસ્તા નજીક આવેલું છે શાકમાર્કેટ

  • શાકમાર્કેટના દબાણો દૂર કરાતા થયો હતો વિવાદ

  • મહિલા વેપારીઓએ નગર સેવાસદનમાં કરી હતી રજુઆત

  • તંત્ર દ્વારા વેપારીઓ માટે જગ્યાની કરાય ફાળવણી

  • ટ્રાફિકને અડચણરૂપ થશે તો કરાશે કાર્યવાહી

અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક શાકભાજી માર્કેટના દબાણ હટાવવા બાબતે થયેલ વિવાદનો અંત આવ્યો છે.નગર સેવાસદને માનવતાવાદી અભિગમ દાખવી વેપારીઓ માટે વૈકલ્પિક જગ્યાની ફાળવણી કરી છે
અંકલેશ્વર નગરપાલિકાએ તાજેતરમાં ત્રણ રસ્તા શાક માર્કેટમાં જાહેર માર્ગ પરથી દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી જેના પગલે પથારાવાળાઓએ નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે છેલ્લા 25 વર્ષથી તેઓ આ સ્થળે વેપાર કરી રહ્યા છે અને તેમના પરિવારનું ગુજરાન શાકભાજી વેચવા પર જ ચાલે છે ત્યારે અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવવામાં આવ્યો છે. અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ અને ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ શાકમાર્કેટની મુલાકાત લીધી હતી જ્યાં શાકભાજી વેચતા વેપારીઓ માટે એક સૂનિશ્ચિત જગ્યા ફાળવવામાં આવી છે.
નગર સેવા સદન દ્વારા જે હદ નક્કી કરાઈ છે તેની અંદર જ વેપારીઓ શાકભાજીનું વેચાણ કરી શકશે.આ અંગે નગર સેવા સદનની કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલે જણાવ્યું હતું કે ત્રણ રસ્તા સર્કલ નજીક ગેરકાયદેસર દબાણોના કારણે ટ્રાફિકજામની વિકટ સમસ્યા હતી જેના પગલે દબાણો દૂર કરવામાં આવ્યા હતા પરંતુ આસપાસના ગામોમાંથી વિધવા મહિલાઓ શાકભાજી વેચવા માટે આવે છે ત્યારે તેઓ સામે માનવતાવાદી અભિગમ દાખવી તેઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી કરવામાં આવી છે પરંતુ તેઓ જો મુખ્ય માર્ગને અડીને વેપાર કરશે અને ટ્રાફિકજામની સમસ્યા સર્જાશે તો ફરીથી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે
Read the Next Article

ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી

New Update
  • નંદેલાવ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત

  • બેલગામ કન્ટેનર બ્રિજના પિલરમાં ભટકાયું

  • પિલર બાદ મંગલદીપ સોસાયટીમાં પણ અથડાયું

  • સોસાયટીના મંદિરની દીવાલ તૂટતા નુકસાન

  • જાનહાની ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી.
 
ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હજીરા અદાણીથી કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું. એ દરમિયાન કન્ટેનર ચાલકનો સ્ટિયરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈને સીધુ મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું.

આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું. જોકે, ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કન્ટેનરનો ચાલક દ્વારા કન્ટેનરને બેલગામ દોડાવવામાં આવી રહ્યું હતું.ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી. ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ત્રણ હાઇડ્રાની મદદ લેવાઈ હતી. લાંબા સમય બાદ માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ થયો હતો.મંગલદીપ સોસાયટીના પ્રમુખ જીતુ  પ્રજાપતિએ જણાવ્યું હતું કે,કન્ટેનર અમારા મંદિરની દીવાલ તોડી ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં નહોતી. પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે પગલાં લેવા જરૂરી છે.