અંકલેશ્વર: ભાદી-ખરોડ ગામે જોડતા માર્ગ પર આવેલું નાળુ જર્જરિત હાલતમાં,લોકો જીવના જોખમે પસાર થવા માટે મજબૂર

અંકલેશ્વર તાલુકાના ભાદી-ખરોડને જોડતા માર્ગ ઉપર આવેલ નાળું જર્જરિત બનતા વિદ્યાર્થીઓ સહીત ગ્રામજનો જીવન જોખમે પસાર થવા મજબુર બન્યા છે.

New Update
  • અંકલેશ્વરના ભાદી-ખરોડ ગામે જોડતા માર્ગ પર આવેલું નાળુ 

  • નાળુ છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં

  • સ્થાનિકો જીવના જોખમે પસાર થવા માટે મજબુર

  • ચોમાસા પૂર્વે નાળાના સમારકામની માંગ

  • નાળુ તૂટી પડે એવી ગ્રામજનોને ભીતિ

અંકલેશ્વર તાલુકાના ભાદી-ખરોડને જોડતા માર્ગ ઉપર આવેલ નાળું જર્જરિત બનતા વિદ્યાર્થીઓ સહીત ગ્રામજનો જીવન જોખમે પસાર થવા મજબુર બન્યા છે.
અંકલેશ્વર તાલુકાના ભાદી-ખરોડ ગામ વચ્ચે ખાડી ઉપર નાળું આવેલ છે.જે નાળા ઉપર આજરોજ તિરાડ પડતા ગ્રામજનોએ કાંટા મૂકી માર્ગ બંધ કર્યો હતો પરંતુ ગામમાં જવા માટે એક માર્ગ હોઈ ગ્રામજનો અને શાળાએ જતા બાળકો મજબુરીમાં જર્જરિત નાળા ઉપરથી પસાર થતા નજરે પાડ્યા હતા.છેલ્લા ઘણા વર્ષો જુનું આ નાળા અચાનક જર્જરિત બનતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
ત્યારે ગામના આગેવાનોએ ભાદી-ખરોડ થઇ હાઇવેને જોડતા આ માર્ગ ઉપરથી નોકરિયાત વર્ગ,વિદ્યાર્થીઓ અને ગ્રામજનો માટે અવર જવરને મુખ્ય માર્ગ હોઈ વહેલી તકે તેની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.તો અન્ય રાહદારીએ હાલ માર્ચ મહિનો ચાલી રહ્યો છે.તંત્ર ચોમાસા પહેલા આ નાળું બનાવી આપે તો લોકોને રાહત થશે બાકી તો ગ્રામજનોએ ચોમાસાની સિઝનમાં પોતાના ઘરે જ બેસી રહેવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
Read the Next Article

અંકલેશ્વર : રામકુંડ તીર્થ અને કબીર આશ્રમમાં ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી,ભક્તોએ મેળવ્યા ગરુજીના આશીર્વાદ

અંકલેશ્વરમાં ગુરુપૂર્ણિમાની ભક્તિભાવથી ઉજવણી કરાઈ હતી. શહેરના રામકુંડ તીર્થધામ , કબીર આશ્રમ સહિત ગુરુ આશ્રમમાં ભક્તોની ભીડ ઉમટી આશ્રમમાં ભક્તોએ ભજન કીર્તનની બોલાવી રમઝટ

New Update
  • અંકલેશ્વર ગુરુપૂર્ણિમાએ ભક્તિમય રંગમાં રંગાયું

  • ગુરુપૂર્ણિમાએ છલાક્યો ભક્તોનો ભક્તિરસ 

  • રામકુંડ તીર્થ,કબીર આશ્રમમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી

  • ગુરુદેવના આશ્રમમાં ભક્તોએ ભજન કીર્તનની બોલાવી રમઝટ

  • ગુરુવંદના અને આશીર્વાદ મેળવી ભક્તોએ ધન્યતા અનુભવી

અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તોએ મહંત ગંગા દાસજી બાપુનું પૂજન કરી આર્શીવાદ મેળવ્યા હતા.જ્યારે શહેરના કબીર આશ્રમમાં પણ ગુરુ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો.

અંકલેશ્વરમાં ગુરુપૂર્ણિમાની ભક્તિભાવથી ઉજવણી કરાઈ હતી. શહેરના રામકુંડ તીર્થધામકબીર આશ્રમ સહિત ગુરુ આશ્રમમાં ભક્તોની ભીડ ઉમટી હતી.ગુરુના આશીર્વાદ મેળવી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

અંકલેશ્વરના વિવિધ મંદિર અને આશ્રમોમાં ભક્તોએ ગુરુ વંદના કરી ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા.અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા.,અને ભક્તોએ મહંત ગંગા દાસજી બાપુનું પૂજન કરી આર્શીવાદ મેળવ્યા હતા.

તો બીજી તરફ પંચાટી બજારમાં આવેલ  કબીર આશ્રમ ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને ભજન કીર્તન સાથે  ગુરુ ચરણ દાસજીની ગુરુ વંદના કરી ભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતા.અને ગુરુપૂર્ણિમાના પાવન અવસરે કબીર આશ્રમમાં ભક્તિરસ છલકાયો હતો.