અંકલેશ્વર : જુના બોરભાઠા બેટની સરકારી પ્રાથમિક શાળામાં નિર્માણ પામેલ અદ્ધતન સાયન્સ લેબનું લોકાર્પણ કરાયું...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામની સરકારી પ્રાથમિક શાળા ખાતે અલાઇવસ લાઈફ સાયન્સિસ અને જનપ્રકૃતિ ફાઉન્ડેશનના સયુંક્ત ઉપક્રમે અદ્ધતન સાયન્સ લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે.

New Update
  • જુના બોરભાઠા બેટની સરકારી પ્રાથમિક શાળામાં આયોજન

  • અલાઇવસ લાઈફ સાયન્સિસ-જનપ્રકૃતિ ફાઉન્ડેશનનો સહયોગ

  • પ્રાથમિક શાળામાં અદ્ધતન સાયન્સ લેબનું કરાયું છે નિર્માણ

  • વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ માટે લેબ તૈયાર કરવામાં આવી

  • વિદ્યાર્થીઓને સંપૂર્ણ સામગ્રી સાથે સરળતાથી માહિતી મળશે

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામની સરકારી પ્રાથમિક શાળા ખાતે અલાઇવસ લાઈફ સાયન્સિસ અને જનપ્રકૃતિ ફાઉન્ડેશનના સયુંક્ત ઉપક્રમે અદ્ધતન સાયન્સ લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષયમાં રૂચિ વધે તે હેતુથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામની સરકારી પ્રાથમિક શાળામાં સાયન્સ લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રાથમિક શાળામાં વિજ્ઞાન વિચાર સાથે સમન્વય સાધીને વિદ્યાર્થીઓનો સર્વાગી વિકાસ થાય તે હેતુથી અદ્ધતન લેબને તૈયાર કરવામાં આવી છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓને સંપૂર્ણ સાધન સામગ્રી સાથેની સાયન્સ લેબમાં વિજ્ઞાન વિષયને લગતી તમામ માહિતી સરળતાથી મળી રહેશે.

તા. 28મી ફેબ્રુઆરી-2025ના રોજ સાયન્સ ડેની ઉજવણીના ભાગરૂપે સાયન્સ લેબનું મહાનુભાવોના હસ્તે રીબીન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જલ્પા વટાણાવાલાઅલાઇવસ લાઈફ સાયન્સિસ કંપનીનાHR પ્લાન્ટ હેડ પ્રવીણ ઠાકરમેનેજર વિજય વઘાસિયાજનપ્રકૃતિ ફાઉન્ડેશનના વિરલ પટેલનૈતિક પટેલજૈમિન પટેલજુના બોરભાઠા બેટ પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ શિક્ષકગણગામના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.