અંકલેશ્વર: ફાગણના વાયરા ફૂંકાયા, ઠંડા પવનોના કારણે લઘુત્તમ તાપમાનનો પારો ગગડયો

અંકલેશ્વર અને ભરૂચના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ગરમી અને બફારાનો અહેસાસ થઈ રહ્યો હતો

New Update
  • અંકલેશ્વર ભરૂચના વાતાવરણમાં પલટો

  • ઠંડા પવનો ફૂંકાતા શીતલહેર

  • ઉત્તરભારતમાં હિમવર્ષના પગલે પવનો ફૂંકાયા

  • લઘુત્તમ તાપમાન 17 ડીગ્રી નોંધાયું

  • શહેરીજનોએ ઠંડીનો કર્યો અનુભવ

અંકલેશ્વર અને ભરૂચમાં 19 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે ફુલ ગુલાબી ઠંડીનોઅનુભવ થયો હતો
અંકલેશ્વર અને ભરૂચના વાતાવરણમાંફરી એકવાર પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ગરમી અને બફારાનો અહેસાસ થઈ રહ્યો હતો ત્યારે ઉત્તર ભારતમાં થઈ રહેલા હિમવર્ષાના પગલે લઘુત્તમ તાપમાનના પારામાં ઘટાડો નોંધાયો છે. આજરોજ અંકલેશ્વરનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયુ હતું તો 19 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયા હતા.પવનના કારણે સવારના સમયે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. ઠંડા પવનોના કારણે સહીત લહેરનો અનુભવ થયો હતો. આગામી ચાર દિવસ આ પ્રકારનું વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ તરફ બપોરના સમયે ગરમીનો પણ અનુભવ થયો હતો ત્યારે ફાગણના વાયરા ફુકાઈ રહ્યા છે જેના કારણે ઠંડીનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે.
Read the Next Article

અંકલેશ્વર : મહારાષ્ટ્રમાં થયેલ કેબલ ચોરીના મામલામાં 4 આરોપીની નોબેલ માર્કેટમાંથી ધરપકડ,ક્રાઇમ બ્રાન્ચે રૂ.5.30 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે  મહારાષ્ટ્રમાં આવેલ ખોપોલી પો.સ્ટે. વિસ્તારમાં કેબલ ચોરી થઇ હતી

New Update
gujarat
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે  મહારાષ્ટ્રમાં આવેલ ખોપોલી પો.સ્ટે. વિસ્તારમાં કેબલ ચોરી થઇ હતી જેમાં જુબેર તથા આલમ મનીયાર તથા દિપક કપિલદેવ તિવારી તથા રામવિલાસ ચીકનું યાદવ સંડોવાયેલ છે જે પૈકી આલમ તથા દિપક તિવારી તથા રામ વિલાસ યાદવ અંક્લેશ્વર ખાતે આવેલ નોબલ માર્કેટમાં ગુનામા વપરાયેલ સાધનો સાથે ગોવિંદ અવધરામ યાદવને ત્યા ગોડાઉન પર રોકાયા છે જે બાતમીના આધારે નોબેલ માર્કેટમાં ગોવિંદ યાદવના ગોડાઉનના પર જઇ તપાસ કરતા ગોડાઉન પર ચાર ઇસમ એમ.એચ. પાસીંગની એક બાઇક તથા બોલેરો પીક અપ સાથે ઝડપાય ગયા હતા.આરોપીઓ પોલીસથી બચવા અંકલેશ્વર આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.5.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઝડપાયેલ આરોપીઓ
(1)મોહંમદ આલમ મોહંમદ યુસુફ મનીયાર ઉ.વ.૩૪ હાલ રહે, પુનોલે ગાયકવાડનગર પુના જી.પુના (મહારાષ્ટ્ર) મુળ રહે, દલમઉ થાના-દલમઉ તા.જી. રાયબરેલી (ઉત્તરપ્રદેશ)
(૨) દિપક કપિલદેવ તિવારી ઉ.વ.રર હાલ રહે, ચીખલી કુંતલવાડી રામવિલાસની ભંગારની દુકાન પર તા. નહેરૂનગર જી.પુના (મહારાષ્ટ્ર) મુળ રહે. મનકાપુર તા. તુલસીપુર દેવીપાટણ જી. બલરામપુર (ઉત્તરપ્રદેશ)
(૩) રામવિલાસ ચીકનું યાદવ ઉ.વ. ૩૨ રહે, પુનોલે ગાયકવાડનગર જી-પુના (મહારાષ્ટ્ર) મુળ રહે. ત્રિલોકપુર તા-ઇટવા જી- સિધ્ધાર્થનગર (ઉત્તરપ્રદેશ)
(૪) ગોવિંદ અવધરામ યાદવ ઉ.વ.૪૮ હાલ રહે, પ્લોટ નં.૭૧ ન્યુ ઈન્ડીયા નોબલ માર્કેટ ભડકોદ્રા તા. અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહે. રામાપુર ઉર્ફે બિસુનપુર તા. ઈટવા જી. સિધાર્થનગર (ઉત્તરપ્રદેશ)