અંકલેશ્વર: ફાગણના વાયરા ફૂંકાયા, ઠંડા પવનોના કારણે લઘુત્તમ તાપમાનનો પારો ગગડયો

અંકલેશ્વર અને ભરૂચના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ગરમી અને બફારાનો અહેસાસ થઈ રહ્યો હતો

New Update
  • અંકલેશ્વર ભરૂચના વાતાવરણમાં પલટો

  • ઠંડા પવનો ફૂંકાતા શીતલહેર

  • ઉત્તરભારતમાં હિમવર્ષના પગલે પવનો ફૂંકાયા

  • લઘુત્તમ તાપમાન 17 ડીગ્રી નોંધાયું

  • શહેરીજનોએ ઠંડીનો કર્યો અનુભવ

અંકલેશ્વર અને ભરૂચમાં 19 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે ફુલ ગુલાબી ઠંડીનોઅનુભવ થયો હતો
અંકલેશ્વર અને ભરૂચના વાતાવરણમાંફરી એકવાર પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ગરમી અને બફારાનો અહેસાસ થઈ રહ્યો હતો ત્યારે ઉત્તર ભારતમાં થઈ રહેલા હિમવર્ષાના પગલે લઘુત્તમ તાપમાનના પારામાં ઘટાડો નોંધાયો છે. આજરોજ અંકલેશ્વરનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયુ હતું તો 19 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયા હતા.પવનના કારણે સવારના સમયે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. ઠંડા પવનોના કારણે સહીત લહેરનો અનુભવ થયો હતો. આગામી ચાર દિવસ આ પ્રકારનું વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ તરફ બપોરના સમયે ગરમીનો પણ અનુભવ થયો હતો ત્યારે ફાગણના વાયરા ફુકાઈ રહ્યા છે જેના કારણે ઠંડીનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે.
Read the Next Article

ભરૂચ: મામલતદાર કચેરીમાં રૂ.25 લાખના ખર્ચે નિર્માણ પામેલ કોર્પોરેટ કક્ષાના જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન, 95 ગામના લોકોનો મળશે લાભ

જનસેવા કેન્દ્રમાં રાજ્ય સરકારની 600થી વધુ યોજનાઓ લોકો સુધી સરળ રીતે પહોંચે તે માટે કામ કરાશે.આ ઉપરાંત ભરૂચ તાલુકાના 95 જેટલા ગામના લોકોને જનસેવા કેન્દ્રનો લાભ થશે

New Update
  • ભરૂચ મામલતદાર કચેરીમાં નિર્માણ કરાયુ

  • જન સેવા કેન્દ્રનું નવીનીકરણ કરાયુ

  • રૂ.25 લાખનો ખર્ચ કરાયો

  • મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન

  • 95 ગામના લોકોને થશે લાભ

ભરૂચ મામલતદાર કચેરી ખાતે રૂપિયા 25 લાખના ખર્ચે નવનિર્માણ પામેલ જનસેવા કેન્દ્રનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુંmઆ પ્રસંગે મહાનુભાવોએ હાજરી આપી હતી.
રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વહીવટના સરળીકરણ માટે દરેક તાલુકા મથકોએ જનસેવા કેન્દ્ર કાર્યરત છે ત્યારે ભરૂચ મામલતદાર કચેરી ખાતે રૂપિયા 25 લાખના ખર્ચે નવનિર્માણ પામેલ કોર્પોરેટ કક્ષાના જનસેવા કેન્દ્રનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, કલેક્ટર ગૌરાંગ મકવાણા, અધિક કલેકટર એન. આર. ધાંધલ, ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ જનસેવા કેન્દ્રમાં રાજ્ય સરકારની 600થી વધુ યોજનાઓ લોકો સુધી સરળ રીતે પહોંચે તે માટે કામ કરાશે.આ ઉપરાંત ભરૂચ તાલુકાના 95 જેટલા ગામના લોકોને જનસેવા કેન્દ્રનો લાભ થશે