અંકલેશ્વર: ભડકોદ્રાની મધુવન સોસાયટીના 2 મકાનોમાં ચોરી, એક મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ

ભડકોદ્રાની મધુવન સોસાયટીના બે મકાનોને તસ્કરોએ નિશાન બનાવી રોકડ સહિતની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.જ્યારે એક મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો

New Update
  • અંકલેશ્વરના ભડકોદ્રામાં તસ્કરો ત્રાટકયા

  • મધુવન સોસાયટીમાં ચોરી

  • 2 મકાનમાંથી સોનાના ઘરેણા અને રોકડની ચોરી

  • અન્ય એક મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ

  • જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી

Advertisment
અંકલેશ્વરના ભડકોદ્રા ગામની મધુવન સોસાયટીમાં બે મકાનોને તસ્કરોએ નિશાન બનાવી રોકડ સહિતની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.જ્યારે એક મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો
અંકલેશ્વરના ભડકોદ્રા ગામની મધુવન સોસાયટીમાં રહેતા જોન્શન ડીશુજા ગતરોજ પોતાનું મકાન બંધ કરી કેવડિયા ખાતે ગયા હતા તે સમયે તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.તસ્કરો મકાનમાં પ્રવેશ કરી રોકડા અને સોનાના સિક્કાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.જ્યારે ગેલેક્સી એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરના મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં મળી 55 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
તો અન્ય મકાનના તાળાં તોડી અંદર પ્રવેશ કર્યો હતો પરંતુ મકાનમાં કઈ હાથ નહીં લાગતા તસ્કરો વીલા મોઢે પરત ફરવાની ફરજ પડી હતી ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Advertisment
Read the Next Article

ભરૂચ : ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીમાં કોઈ બે’જવાબદાર ઉદ્યોગ દ્વારા મુક્ત કરાયું પ્રદુષિત પાણી..!

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પણ પ્રદૂષણના કહેરથી બચી શકી નથી. ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી

New Update
  • ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીમાં ફેલાયું પ્રદૂષણ

  • નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી

  • અગાઉ પ્રદુષિત પાણીથી થયા હતા ગાય અને જળચરોના મોત

  • આ મામલે GPCB દ્વારા યોગ્ય તપાસની સ્થાનિકો દ્વારા માંગ

  • પ્રદુષિત પાણી છે કે કેમ તે અંગે કનેક્ટ ગુજરાત પુષ્ટિ કરતું નથી

Advertisment

ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી છેત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.

પ્રાકૃતિક ધરોહર કહેવાતી નદીઓ જે રીતે પ્રદૂષિત થઈ રહી છેતે ચિંતાનો વિષય બન્યો છે. એક તરફ પીવાના પાણીની સમસ્યાનો સામનો અનેક વિસ્તારો કરી રહ્યા છેત્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પણ પ્રદૂષણના કહેરથી બચી શકી નથી. ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી છે. અગાઉ પણ નર્મદા નદીમાં ભળી ગયેલ કેમિકલયુક્ત પાણી પીવાથી ગાયનું મોત થયું હોવાનો પશુપાલક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આ તરફકેમિકલયુક્ત પાણીથી અગાઉ પણ આમલાખાડીમાં હજારો જળચરના મૃત્યુ થયા હતાત્યારે નર્મદા નદીમાં પ્રદુષણ ફેલાવવા સાથોસાથ નદીના જળચર જીવોને પણ તેની અસર થતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. જોકેકોઈ બેજવાબદાર ઉદ્યોગ દ્વારા નર્મદા નદીમાં છોડવામાં આવેલ કેમિકલયુક્ત પાણી પ્રદુષિત છે કેકેમ... તેની પુષ્ટી કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલ કરતું નથી. પરંતુ નર્મદા નદીને પ્રદૂષિત કરનાર તત્વો સામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી કાસિયા ગામના સ્થાનિકોએ માંગ કરી છે.

Advertisment