અંકલેશ્વર: મરાઠી સમાજ દ્વારા નવા વર્ષ ગુડી પડવાની પરંપરાગત રીતે ઉજવણી !

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત એવા અંકલેશ્વરમાં દરેક પ્રાંતના લોકો વસવાટ કરે છે ત્યારે દરેક ધર્મના તહેવારની પણ ઉત્સાહભેર ઉજવણી થાય છે મરાઠી સમાજ દ્વારા પ્રતિ

New Update
  • ચૈત્રીસુદ એકમ એટ્લે મરાઠી સમાજનું નવું વર્ષ

  • આજે ઠેર ઠેર ગુડી પડવાની ઉજવણી

  • લોકોએ ઘરની બહાર ગુડી ઊભી કરી પૂજન અર્ચન કર્યું

  • ઘરે ઘરે પુરણપોળી ખાવાની અનોખી પરંપરા

  • ઉત્સાહ સાથે નવા વર્ષની ઉજવણી કરાય

ચૈત્ર સુદ એકમ એટ્લે મરાઠી સમાજનું નવું વર્ષ, આજે મરાઠી સમાજ દ્વારા ઘરની બહાર ગુડી એટ્લે કે ધ્વજ બાંધીને પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત એવા અંકલેશ્વરમાં દરેક પ્રાંતના લોકો વસવાટ કરે છે ત્યારે દરેક ધર્મના તહેવારની પણ ઉત્સાહભેર ઉજવણી થાય છે મરાઠી સમાજ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે નૂતન વર્ષની અને વિજયી પર્વની પરંપરાગત રીતે ભાવ અને ભકિતમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા તેઓના નિવાસસ્થાને સવારે મંગલ મુર્હૂતે ગુડી એટ્લે કે ધ્વજ ઉભો કરવાની પરંપરા વર્ષોથી ચાલી રહી છે.તે.મુજબ આજરોજ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.મહારાષ્ટ્રીયનો દ્વારા ઘરે ઘરે પુરણપોળી ખાવાની અને સ્વજનોને ખવડાવીને આ તહેવારની ઉજવણી કરવામા આવી હતી.ભગવાન રામચંદ્ર ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ, લંકાપતિ રાવણનો વધ કરી વિજયી થઇ જે દિવસે અયોધ્યા પાછા ફર્યા તે દિવસ ચૈત્ર સુદ એકમ હતી. અયોધ્યા નગરીના લોકોએ ઘેર- ઘેર ગુડી, તોરણો ઊભા કરી રામના પાછા ફરવાનો આનંદ વ્યક્ત કર્યો. તે સંદર્ભે ગુડી પડવાનો આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે. ગુડી પડવાને ‘વર્ષ પ્રતિપદા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગનો સપાટો, 7 દિવસમાં ખનીજ માફિયાઓના 8 વાહનો મળી રૂ.1.90 કરોડનો.મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન

New Update
MixCollage-16-Jun-2025-09-09-PM-1828

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભુસ્તરશાસ્ત્રી  સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડેશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનોને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.