અંકલેશ્વર: મરાઠી સમાજ દ્વારા નવા વર્ષ ગુડી પડવાની પરંપરાગત રીતે ઉજવણી !

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત એવા અંકલેશ્વરમાં દરેક પ્રાંતના લોકો વસવાટ કરે છે ત્યારે દરેક ધર્મના તહેવારની પણ ઉત્સાહભેર ઉજવણી થાય છે મરાઠી સમાજ દ્વારા પ્રતિ

New Update
  • ચૈત્રીસુદ એકમ એટ્લે મરાઠી સમાજનું નવું વર્ષ

  • આજે ઠેર ઠેર ગુડી પડવાની ઉજવણી

  • લોકોએ ઘરની બહાર ગુડી ઊભી કરી પૂજન અર્ચન કર્યું

  • ઘરે ઘરે પુરણપોળી ખાવાની અનોખી પરંપરા

  • ઉત્સાહ સાથે નવા વર્ષની ઉજવણી કરાય

Advertisment
ચૈત્ર સુદ એકમ એટ્લે મરાઠી સમાજનું નવું વર્ષ, આજે મરાઠી સમાજ દ્વારા ઘરની બહાર ગુડી એટ્લે કે ધ્વજ બાંધીને પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત એવા અંકલેશ્વરમાં દરેક પ્રાંતના લોકો વસવાટ કરે છે ત્યારે દરેક ધર્મના તહેવારની પણ ઉત્સાહભેર ઉજવણી થાય છે મરાઠી સમાજ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે નૂતન વર્ષની અને વિજયી પર્વની પરંપરાગત રીતે ભાવ અને ભકિતમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા તેઓના નિવાસસ્થાને સવારે મંગલ મુર્હૂતે ગુડી એટ્લે કે ધ્વજ ઉભો કરવાની પરંપરા વર્ષોથી ચાલી રહી છે.તે.મુજબ આજરોજ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.મહારાષ્ટ્રીયનો દ્વારા ઘરે ઘરે પુરણપોળી ખાવાની અને સ્વજનોને ખવડાવીને આ તહેવારની ઉજવણી કરવામા આવી હતી.ભગવાન રામચંદ્ર ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ, લંકાપતિ રાવણનો વધ કરી વિજયી થઇ જે દિવસે અયોધ્યા પાછા ફર્યા તે દિવસ ચૈત્ર સુદ એકમ હતી. અયોધ્યા નગરીના લોકોએ ઘેર- ઘેર ગુડી, તોરણો ઊભા કરી રામના પાછા ફરવાનો આનંદ વ્યક્ત કર્યો. તે સંદર્ભે ગુડી પડવાનો આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે. ગુડી પડવાને ‘વર્ષ પ્રતિપદા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
Advertisment
Read the Next Article

ભરૂચ: NTPC ઝનોર અને અંકલેશ્વરના CISF યુનિટ પર દુશ્મન દેશનો હુમલો થતા અનેક જવાન ઘાયલ, અંતે મોકડ્રિલ જાહેર કરાય

ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી

New Update
સી.આઈ.એસ.એફ યુનીટ અંકલેશ્વર  (4)
ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી એકમના કર્મચારીઓ સચેત થઈ તાત્કાલિક ધોરણે એકમની બહાર નીકળી ગયા હતા. સિવિલ ડિફેન્સની વિવિધ આપાતકાલીની સેવાઓના કર્મચારીઓ યુદ્ધના ધોરણે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. અંતે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ગતિવિધિ મોકડ્રીલ જાહેર કરાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.  આ મોકડ્રીલ વખતે સિવિલ ડિફેન્સની આરોગ્ય, ફાયર, પોલીસ અને સહિતની મહત્વની ૧૨ સેવાઓ, સી.આઈ.એસ.એફના જવાનો, સિવિલ ડિફેન્સના વોલેન્ટીયર્સ, જી.આર.ડી.ના જવાનો હાજર રહ્યા હતા.
Advertisment
આ તરફ અંકલેશ્વર સ્થિત સી.આઈ.એસ.એફ યુનીટ પર ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર સી.આઈ.એસ.એફ યુનીટ ખાતે દુશ્મન તરફથી હુમલો થયો હતો. જેની સાંજે પાંચ કલાકે જિલ્લા કંટ્રોલરૂમ તથા પોલીસ કંટ્રોલરૂમ ખાતે જાણકારી મળી હતી. સૂચના મળતા જ જિલ્લાના વિવિધ વિભાગો સ્થિતિ પર કાબુ મેળવવા સી.આઈ.એસ.એફ યુનીટ સ્થળ પર પહોંચ્યા હતા. અને સામાન્ય ઇજા પામેલા ૨૫ જેટલા જવાનોને બચાવી સારવાર અપાઈ હતી. જ્યારે ૫ જેટલા વધુ ઈજાગ્રસ્તોને સારવાર આપવા તબીબી ટીમ સાથે ૩૦ યુનિટ રક્તની જરૂરીયાત ઉભી થતા યુધ્ધના ધોરણે મદદ પહોચાડી હતી. 
Advertisment