અંકલેશ્વર: NH 48 પર વાલિયા ચોકડીથી રાજપીપળા ચોકડી સુધી ટ્રાફિકજામ, અનેક વાહનચાલકો અટવાયા

અંકલેશ્વરની વાલીયા ચોકડી નજીક આવેલ આમલાખાડી પરના ઓવરબ્રિજથી લઈ રાજપીપળા ચોકડી સુધીના ઓવરબ્રિજ સુધી 3 થી 4 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી

New Update

અંકલેશ્વર નજીક ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિ

NH 48 પર ભારે ટ્રાફિકજામ

અનેક વાહનચાલકો અટવાયા

વાલિયા ચોકડીથી રાજપીપળા ચોકડી સુધી ટ્રાફિકજામ

વારંવાર સર્જાતી પરિસ્થિતિનું નિરાકરણ ક્યારે?

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ત્રણથી ચાર કિલોમીટર સુધી ટ્રાફિકજામનું નિર્માણ થતાં અનેક વાહનચાલકો અટવાયા હતા. અંકલેશ્વર નજીક ફરી એક વાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.અંકલેશ્વરની વાલીયા ચોકડી નજીક આવેલ આમલાખાડી પરના ઓવરબ્રિજથી લઈ રાજપીપળા ચોકડી સુધીના ઓવરબ્રિજ સુધી 3 થી 4 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી છે.
વહેલી સવારના સમયથી ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતા અનેક વાહન ચાલકો અટવાયા હતા.વાલીયા ચોકડી નજીક આમલાખાડી પરનો બ્રિજ બોટલ નેક માર્ગ હોવાના કારણે વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.જેના કારણે વાહન ચાલકોના કીમતી સમય અને ઇંધણનો પણ બગાડ થઈ રહ્યો છે. છાશવારે સર્જાતી આ પરિસ્થિતિનું કાયમી નિરાકરણ લાવવા વાહન ચાલકો પણ માંગ કરી રહ્યા છે.
Read the Next Article

ભરૂચ: વરસાદી માહોલ વચ્ચે NH 48 પર લાગ્યા વાહનોના થપ્પા, ઝાડેશ્વર ચોકડી નજીક ભારે ટ્રાફિકજામ

વરસાદી માહોલ વચ્ચે વાહનોની લાંબી કરતાં લાગી હતી. લગભગ 2 થી 3 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિકજામ સર્જાતા વરસતા વરસાદમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા.

New Update
Traffic Jam

ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિક જામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે ત્યારે આજરોજ વરસાદી માહોલ વચ્ચે શહેરની ઝાડેશ્વર ચોકડી નજીક પણ વાહનોની લાંબી કરતાં લાગી હતી. લગભગ 2 થી 3 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિકજામ સર્જાતા વરસતા વરસાદમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા.

ઝાડેશ્વર ચોકડી નજીકના બિસ્માર માર્ગના પગલે ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા વકરી રહી છે ત્યારે માર્ગના સમારકામ સાથે પોલીસ વિભાગ પણ આ બાબતે જરૂરી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે પણ નેશનલ હાઇવે નંબર 48 પર વારંવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે.વાલિયા ચોકડી નજીકના સાંકડા ઓવરબ્રિજના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે ટ્રાફિકજામની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે જરૂરી છે.