અંકલેશ્વર: શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ  ખાતે દ્વિદિવસીય રમતોત્સવ યોજાયો

શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ ખાતે દ્વિદિવસીય રમતોત્સવ-2025નું કૉલેજના આચાર્ય ડૉ.જી.કે.નંદા અને શારીરિક શિક્ષણના અધ્યાપક ડૉ.મનેષ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું

New Update
Shri Thakorbhai Patel Arts and Commerce College
અંકલેશ્વરની શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ ખાતે દ્વિદિવસીય રમતોત્સવ-2025નું કૉલેજના આચાર્ય ડૉ.જી.કે.નંદા અને શારીરિક શિક્ષણના અધ્યાપક ડૉ.મનેષ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.
Shri Thakorbhai Patel College
આ રમતોત્સવમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.પ્રોફેસર હરેશ પરીખ,ડૉ. હેમંત દેસાઈ,રાજેશ પંડયા, ડૉ.સોનલ ખંડપુર, ડૉ.જયશ્રી ચૌધરી, ડૉ. મનેષ પટેલ,  ડૉ. ભાગ્યશ્રી બારપાંડે, ડૉ.નિશા વસાવા સહીત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

અંકલેશ્વર : નવા બોરભાઠા ગામ સમરસ જાહેર થતા સરપંચ અને સભ્યોને આવકારતા ગ્રામજનો

અંકલેશ્વર તાલુકાનું નવા બોરભાઠા ગામ સમરસ જાહેર થયું હતુ.અને સરપંચ તેમજ સભ્યોની ટીમ દ્વારા ગામના સર્વાંગી વિકાસની ખેવના વ્યક્ત કરવામાં આવી....

New Update
Samras Grampanchayat

અંકલેશ્વર તાલુકાનું નવા બોરભાઠા ગામ સમરસ જાહેર થયું હતુ.અને સરપંચ તેમજ સભ્યોની ટીમ દ્વારા ગામના સર્વાંગી વિકાસની ખેવના વ્યક્ત કરવામાં આવી હતી.

અંકલેશ્વર તાલુકાના નવા બોરભાઠાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગ્રામજનો અને પંચાયતના પૂર્વ સરપંચ અને આગેવાનો દ્વારા ગામના વિકાસની ખેવના સાથે સમરસ પંચાયત બનાવવા માટે ટીમ તૈયાર કરી હતી.તેઓના પ્રયાસોથી સરપંચ તરીકે ચંચળબેન સોમભાઈ પટેલ તથા તેમની પેનલના સભ્યો બિનહરીફ ચૂંટાયા આવ્યા હતા.

Juna Borbhatha Grampanchayat

જે બદલ ગામ ખાતે ગ્રામજનો અને પંચાયત આગેવાનો દ્વારા ખુશી વ્યક્ત કરીને સરપંચ તેમજ સભ્યો બિન હરીફ થવા બદલ ફુલહાર કરી સ્વાગત કર્યું હતું. તમામ સભ્યો અને ટીમ દ્વારા ગામના સર્વાંગી વિકાસની ખેવના વ્યક્ત કરવામાં આવી હતી.