ભરૂચ: અંકલેશ્વર-વાલિયા રોડ ધુળીયો બન્યો, વાહનચાલકોને ભારે હાલાકી !

અંકલેશ્વર-વાલિયા માર્ગ ઉપર ભારે વાહનોને પગલે ઊડતી ધૂળની ડમરીઓ લઈ વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.

New Update
  • અંકલેશ્વર- વાલિયા રોડની બિસ્માર હાલત

  • મહત્વનો માર્ગ બન્યો ધૂળીયો

  • માર્ગ બિસ્માર બનતા વાહનચાલકોને હાલાકી

  • અકસ્માતનો ભય

  • સમારકામ માટે રૂ.50 કરોડનું ટેન્ડર થયું છે મંજુર

અંકલેશ્વર-વાલિયા માર્ગ ઉપર ભારે વાહનોને પગલે ઊડતી ધૂળની ડમરીઓ લઈ વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.

ભરૂચનો અંકલેશ્વર-વાલિયા માર્ગ ચોમાસાની સીઝનમાં અત્યંત બિસ્માર બન્યો છે.જે માર્ગના નવીનીકરણની મંજૂરી મળી ગઈ હોવા છતાં કામગીરી નહિ શરૂ કરવામાં આવતા આ માર્ગ પર ઊડતી ધૂળને લઈ વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.ભારે વાહનો સ્પીડમાં પસાર થતા જ ધૂળની ડમરીઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.જેને લઈ લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર થઈ રહી છે.માર્ગ પર ધૂળ ઉડતા વિઝીબલિટી પણ ઓછી થઈ રહી છે જેના કારણે અકસ્માતની શક્યતા પણ નકારી શકાય એમ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા 37 કિલોમીટરના માર્ગના સમારકામ માટે રૂપિયા 50 કરોડનું ટેન્ડર ઓક્ટોબર માસમાં  મંજુર કરવામાં આવ્યુ છે પરંતુ હજુ સુધી આ કામગીરી ચાલુ ન કરવામાં આવતા વાહનચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.