અંકલેશ્વર: ખેડૂતોની મહેનત પર તરાપ મારતા જંગલી ભૂંડ, ખેતરોને કર્યા ખેદાન મેદાન !

અંકલેશ્વર-હાંસોટ પંથકમાં ભૂંડના ટોળેટોળા ખેડૂતોના ઉભા પાકને નુકશાન પહોંચડી રહ્યા છે જેના કારણે ધરતીપુત્રોએ આર્થિક નુકશાની સહન કરવાનો વારો આવી રહયો છે.

New Update
  • અંકલેશ્વર-હાંસોટ પંથકમાં જંગલી ભૂંડનો ત્રાસ

  • ખેતરોમાં ઉભા પાકને નુકશાન

  • ખેતરો કર્યા ખેદાન-મેદાન

  • મહામુલો પાક કર્યો નષ્ટ

  • ઝાટકા મશીન અને કાંટાળી વાડને પણ આપે છે મ્હાત

અંકલેશ્વર હાંસોટના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂંડના ત્રાસના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. ભૂંડના ટોળેટોળા ખેડૂતોના ઉભા પાકને નુકશાન પહોંચડી રહ્યા છે જેના કારણે ધરતીપુત્રોએ આર્થિક નુકશાની સહન કરવાનો વારો આવી રહયો છે.

ધરતીના તાત માટે હવે ખેતી કરી જીવન નિર્વાહ કરવો અત્યંત મુશ્કેલ થઈ પડ્યો છે.ક્યારેક કમોસમી વરસાદ તો ક્યારેક પાકમાં રોગ આવી જવો અને ક્યારેક પાકનો પોષણ સંભભાવ ન મળવો આ તમામ સમસ્યા તો ઉભી છે ત્યાં એક નવી જ સમસ્યા જોવા મળી રહી છે.
અંકલેશ્વર હાંસોટ પંથકમાં ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તેનું કારણ છે જંગલી ભૂંડ અને નીલગાય. અંકલેશ્વરના બોરભાઠા સજોદ, ધંતુરીયા, નવા તરિયા તો હાંસોટના શેરા સુણેવ, સાહોલ અને ઇલાવ સહિતના ગામોમાં જંગલી ભૂંડનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે ખેડૂતોની ઉંઘ હરામ થઈ ગઈ છે.
જંગલી ભૂંડ ઝુંડ બનાવી ખેતરમાં પ્રવેશે છે અમે શેરડી, શાકભાજી સહિતના પાકનો દાટ વાળી દે છે.માદા ભૂંડ એક સાથે 8થી 10 બચ્ચાને જન્મ આપે છે અને તેમાં મૃત્યુદર પણ ઘણો ઓછો હોય છે જેના કારણે જંગલી ભૂંડનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. આ અંગે ખેડૂતોના જણાવ્યા અનુસાર તેઓ ખેતરોમા કાંટાવાળી તાર ફેંસીંગ કરવામાં આવી છે.આ ઉપરાંત  ઝાટકા મશીનનો પણ ઉપયોગ કરવા છતા તેઓના પાકનુ રક્ષણ થઈ શકતુ નથી.
Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.