અંકલેશ્વર: પાનોલીની GRP કંપનીમાં ઉમરવાડા ગામના કામદારનું રહસ્યમય સંજોગોમાં મોત, પોલીસે વધુ તપાસ હાથ ધરી

અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી જીઆરપી લિમિટેડ કંપનીમાં ઉમરવાડા ગામના એક કામદારનું મોત થતા ઉગ્ર પરિસ્થિતિ સર્જાઈ હતી.

New Update
  • અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીનો બનાવ

  • જીઆરપી કંપનીનો બનાવ

  • કામદારનું રહસ્યમય સંજોગોમાં મોત

  • હોસ્પિટલ પર કંપની સત્તધીશો પરિવારજનો વચ્ચે બોલાચાલી

  • પોલીસે વધુ તપાસ શરૂ કરી

અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી જીઆરપી લિમિટેડ કંપનીમાં ઉમરવાડા ગામના એક કામદારનું મોત થતા ઉગ્ર પરિસ્થિતિ સર્જાઈ હતી. મૃતકના પરિજનોએ હોસ્પિટલ ખાતે હલ્લો બોલાવી પેનલ પીએમ કરાવવાની માંગ કરી હતી.
અંકલેશ્વર ના ઉમરવાડા ગામના રહીશ  મનહર મેલા વસાવા પાનોલીની જીઆરપી લિમિટેડ કંપનીમાં કામ કરતા હતા. ફરજ દરમ્યાન અચાનક બેસુધ્ધ થઈ જતા તેમને સારવાર માટે અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.ઘટનાની જાણ થતા ઉમરવાડા ગામના રહીશો અને પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા.અહીં કંપનીના સત્તાધીશો અને ગ્રામજનો વચ્ચે ચકમકની પરિસ્થિતિ સર્જાઈ હતી.પરિવારજનોનો સ્પષ્ટ માંગ કરી હતી  કે કંપની તરફથી લેખિત બાહેધરી મળ્યા વગર તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. બનાવ અંગેની જાણ થતા સ્થળ પર પાનોલી પોલીસ પહોંચી બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી કરી સ્થિતિ કાબૂમાં લેવાના પ્રયત્નો આદર્યા હતા.આ દરમિયાન એવી ચર્ચા પણ હતી કે કામદારનું મોત ખેંચ આવવાથી થયુ હતુ પરંતુ પરિવારજનોએ દાવો કર્યો કે મનહરભાઈને અગાઉ આવી કોઈ બીમારી નહોતી.પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી છે.
Latest Stories