અંકલેશ્વર: કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા સી નર્મદા પ્રોજેક્ટ અંતર્ગત વર્કશોપ યોજાયો

સી નર્મદા પ્રોજેક્ટ આઈ.આઈ.ટી. ગાંધીનગર જળશક્તિ મંત્રાલય દ્વારા અંકલેશ્વરમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું 

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • જળ શક્તિ મંત્રાલય દ્વારા આયોજન કરાયું

  • આઈ.આઈ.ટી.ગાંધીનગરનો સહયોગ 

  • નદીના તટપ્રદેશની જાળવણી અંગે અપાયું માર્ગદર્શન

  • આમંત્રિતો રહયા ઉપસ્થિત

સી નર્મદા પ્રોજેક્ટ આઈ.આઈ.ટી. ગાંધીનગર જળશક્તિ મંત્રાલય દ્વારા અંકલેશ્વરમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું 
કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા આઈ.આઈ.ટી. ગાંધીનગર સાથે સી નર્મદા પ્રોજેક્ટ  કાર્યરત કરવામાં આવ્યો છે.જે સેન્ટરમાં અભ્યાસ કર્યા બાદ જે તારણો નીકળશે તેમાં સ્ટેકહોલ્ડરર્સ મહત્ત્વનીભૂમિકા ભજવશે સાથે  સ્ટેકહોલ્ડર્સ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે ગતરોજ ભરૂચ બાદ આજરોજ અંકલેશ્વરમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નદી સંરક્ષણના પડકારો અને વ્યૂહરચનાની ચર્ચા કરાઈ હતી. આ સેન્ટર દ્વારા નદીના તટપ્રદેશની જાળવણી સસ્ટેનેબલ મેનેજમેન્ટ માટે ઉચ્ચ ગુણવત્તાવાળું રિસર્ચ સેન્ટર બનશે સાથે નદીના અન્ય પાસાઓને પણ આવરી લેવામાં આવશે.આ વર્કશોપમાં આઈ.આઈ.ટી.ગાંધીનગરના પ્રનબ મોહાપાત્રા તેમજ અન્ય ડેલીગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા
Read the Next Article

અમદાવાદ દુર્ઘટનામાં ભરૂચના 3 મુસાફરો પ્લેનમાં સવાર હતા, કલેકટર ગૌરાંગ મકવાણાએ કરી પુષ્ટી

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ મુસાફરો પણ પ્લેનમાં સવાર હોવાની માહિતી બહાર આવી રહી છે.વહીવટી તંત્ર દ્વારા આ મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે

New Update
  • અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના

  • લંડન જઈ રહ્યું હતું વિમાન

  • ભરૂચના 3 મુસાફરો પણ હતા સવાર

  • વહીવટી તંત્રએ કરી પુષ્ટી

  • જંબુસર- ભરૂચના 3 લોકોનો સમાવેશ

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ મુસાફરો પણ પ્લેનમાં સવાર હોવાની માહિતી બહાર આવી રહી છે.વહીવટી તંત્ર દ્વારા આ મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે
અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ AI171 આજે ટેકઓફ પછી અકસ્માતનો ભોગ બની હતી.અમદાવાદથી બપોરે 1. 38 વાગ્યે ઉપડેલી આ ફ્લાઇટમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. આમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો હતા.ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજે આ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં જિલ્લાના 5 લોકો હોવાની પુષ્ટિ આપી હતી. આ તરફ ભરૂચ કલેકટર ગૌરાંગ મકવાણાએ ટેલિફોનિક વાતચીતમાં ભરૂચના 3 મુસાફરો હોવાની અને બે મુસાફરો સાંસરોદના હોવાની પુષ્ટિ કરી છે. ભરૂચનું તંત્ર આ મુસાફરોના પરિવારોનો સંપર્ક કરી રહ્યું છે.
ભરૂચ જિલ્લાના 5 મુસાફરોના બહાર આવેલા નામોમાં જંબુસરના પટેલ સાહિલ , ભરૂચના પટેલ અલ્તાફ હુસેન, સાંસરોદના તાજુ હુસેના , તાજુ આદમ અને ભરૂચના સાજેદા મીસ્તર કાવીવાલાનો સમાવેશ થાય છે.પ્લેનમાં સવાર પૈકી પટેલ અલ્તાફહુસેન તેમના સાસુ તાજુ હુસેના અને સસરા તાજુ આદમ સાથે લંડન જઈ રહ્યા હતા. યુકે સ્થાયી થયેલ પરિવારના ત્રણ લોકો ઈદ મનાવી પરત જઈ રહ્યા હતા તે દરમ્યાન આ દુર્ઘટના સર્જાય હતી.