અંકલેશ્વર: ભડકોદ્રા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પર યુવાન પર ચપ્પુથી હુમલો, હુમલાખોરની પોલીસે કરી ધરપકડ

જી.આઈ.ડી.સી.પોલીસે હુમલાખોર નિલેશ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 118 મુજબ ગુનો નોંધ્યો હતો.પોલીસે આ મામલામાં ગણતરીના દિવસોમાં જ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update
  • અંકલેશ્વરના ભડકોદ્રા ગામનો બનાવ

  • ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પર બનાવ બન્યો

  • યુવાન પર અંગત અદાવતે ચપ્પુથી હુમલો

  • ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ખસેડાયો

  • આરોપીની જીઆઇડીસી પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વરના ભડકોદ્રા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પર માથાભારે ઇસમે યુવાન પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો જેમાં યુવાનને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે તો આ તરફ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વરના ભડકોદ્રા ગામના પંચાયત ફળિયામાં રહેતા  વીનેશ પટેલ તા.26 જાન્યુઆરીના રોજ પોતાના ઘરે હતા તે દરમિયાન તેઓના મિત્રનો ફોન આવ્યો હતો અને પોતે ગામના સ્મશાન વાળા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમી રહ્યો હોવાનું જણાવ્યું હતું જેથી વિનેશ પટેલ પણ ક્રિકેટ રમવા ગયા હતા જેઓ મેચ રમી ગ્રાઉન્ડની બહાર પોતાની બાઈક પર બેસી મોબાઈલ ફોન પર વાત કરી રહ્યા હતા તે દરમ્યાન ગામની નવી નગરીમાં રહેતો નીલેશ રમણ પટેલ ત્યાં આવી મારા છોકરાને કોણે માર્યો કહી આવેશમાં આવી જઈ  ચપ્પુ વડે  વીનેશ પટેલ ઉપર તૂટી પડ્યો હતો અને પેટ તેમજ છાતીના ભાગે ચપ્પુ મારી ઈજા પહોંચાડી હતી.
ઈજાના પગલે ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ઈ.એસ.આઈ.સી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે હુમલાખોર નિલેશ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 118 મુજબ ગુનો નોંધ્યો હતો.પોલીસે આ મામલામાં ગણતરીના દિવસોમાં જ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ: શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે 15 લોકો સાથે રૂ.1.59 કરોડની ઠગાઈ, એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

New Update
  • ભરૂચમાં ચકચારી મામલો પ્રકાશમાં આવ્યો

  • 15 લોકો સાથે આચરવામાં આવી ઠગાઈ

  • શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે ઠગાઈ

  • રૂ.1.59 કરોડની ઠગાઈ આચરવામાં આવી

  • ઠગ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા અને કર્મકાંડ તેમજ ખેતી કરતા ચેતનકુમાર ગણપતરામ પુરોહિતનો ચાર વર્ષ પહેલાં ભરૂચના નિપન નગરમાં રહેતા રાહુલ અરવિંદ પંચાલ સાથે પરિચય થયો હતો. ચેતને પોતે મુંબઈની આઈ.આઈ એફ.એલ.નામની કંપનીમાં શેર બ્રોકર કામ તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું તેમજ વધુ વળતર આપવાની ચેતનકુમારને લાલચ આપી હતી.વધુ વળતરની લાલચે ચેતન પુરોહિત અને અન્ય 15 જેટલા લોકોએ રાહુલ પંચાલને રૂ.1.59 કરોડ આપ્યા હતા.
શરૂઆતમાં રાહુલ વિશ્વાસ કેળવવા કેટલાક રૂપિયા વળતર પેટે પરત પણ આપ્યા હતા જોનકે બાદમાં તેણે રૂપિયા ચુકાવવાનું બંધ કરી દીધું હતું જેને પગલે ભેજાબાજ વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.