ભરૂચ સક્રિય પત્રકાર સંઘની વાર્ષિક સામાન્ય સભા મળી, વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરાય

ભરૂચ સક્રિય પત્રકાર સંઘના આજે 10 વર્ષ પૂર્ણ થઈ 11માં વર્ષમાં પ્રવેશ થતા વાર્ષિક સામાન્ય સભા મળી હતી. વાર્ષિક સાધારણ સભા દરમ્યાન સભ્યો દ્વારા કેક કાપી સંઘના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી

New Update
ભરૂચ સક્રિય પત્રકાર સંઘ

ભરૂચ સક્રિય પત્રકાર સંઘને આજે 10 વર્ષ પૂર્ણ થઈ 11માં વર્ષમાં પ્રવેશ થતાં વાર્ષિક સામાન્ય સભા મળી હતી. જેમાં વિવિધ એજન્ડા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા માહિતી કચેરીના સભાખંડ ખાતે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના આજે 10 વર્ષ પૂર્ણ થઈ 11માં વર્ષમાં પ્રવેશ થતા વાર્ષિક સામાન્ય સભા મળી હતી. વાર્ષિક સાધારણ સભા દરમ્યાન સભ્યો દ્વારા કેક કાપી સંઘના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી.

 સામાન્ય સભા દરમ્યાન વિવિધ એજન્ડા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં તારીખ 31-01-2024ના રોજ મળેલી ખાસ સાધારણ સભાના તમામ ઠરાવોને વંચાણે લઇ  બહાલી આપી દેવામાં આવી હતી. આ સાથે જ કારોબારી બેઠકોમાં લેવાયેલા તમામ ઠરાવોને વંચાણે લઈ તેને પણ સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. સભામાં વાર્ષિક હિસાબો પણ રજૂ કરવામાં આવ્યા હતા.

 સક્રિય પત્રકાર સંઘ ભરૂચ

આ સાથે હાજર સભ્યોના સૂચનોને પણ ધ્યાનમાં લઇ તેની નોંધ લેવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2024-25 અને 2025-26 માટે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ તરીકે દિનેશ અડવાણીના નામનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો.

જેનો સંઘના તમામ સભ્યોએ ટેકો જાહેર કર્યો હતો. આ અંગે હાજર તમામ સભ્યોએ દિનેશ અડવાણીના નામ પર સર્વાનુમતે ઠરાવ પસાર કરી તેઓને સંસ્થાના નવા પ્રમુખ તરીકે જાહેર કર્યા હતા. ભરૂચ સક્રિય પત્રકાર સંઘની વાર્ષિક સામાન્ય સભાના અંતે રાષ્ટ્રગીતના ગાન સાથે સભાને પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.

Latest Stories