ભરૂચ : શ્રાવણ માસના પ્રારંભે કાવી-કંબોઈ ઉમટ્યું માનવ મહેરામણ

આજરોજ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભરૂચ જિલ્લાના સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માનવ મહેરામણ ઉમટ્યું હતું.

New Update

આજરોજ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભરૂચ જિલ્લાના સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માનવ મહેરામણ ઉમટ્યું હતું. આ સાથે જ ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા પણ સ્તંભેશ્વર મહાદેવના દર્શન અને પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.

જિલ્લા કલેક્ટરે સ્તંભેશ્વર મહાદેવના દર્શન કર્યા

જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે શ્રવણ માસનો પ્રથમ સોમવાર છેત્યારે ગુજરાતના મીની સોમનાથ તરીકે ખ્યાતિ પામનાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી-કંબોઈ ખાતે આવેલ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માનવ મહેરામણ ઉમટ્યું હતું. આ મંદિરની વિશેષતા એ છે કેમહાદેવજીને સાક્ષાત સમુદ્ર દિવસમાં 2 વખત જળાભિષેક કરવા આવે છેજે નજારો અલોકિક હોય છે. સમુદ્રમાં ભરતીના સમય પૂર્વે અહી વિશેષ પૂજન થાય છેઅને ત્યાર બાદ ધીમે ધીમે સમુદ્ર શિવજીને પોતાનો આગોશમાં સમાવી લે છે. પવિત્ર શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર હોવાથી મોટી સંખ્યામાં ભક્તોએ દેવાધિદેવ મહાદેવના દર્શન કર્યા હતાજ્યારે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ પણ સહ પરિવાર સાથે સ્તંભેશ્વર મહાદેવના દર્શન અને પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.

 

Read the Next Article

ભરૂચ: જંબુસર કાવી રોડ પર ટ્રેકટરની ટકકરે બાઈકચાલક આધેડનું મોત,પોલીસે તપાસ શરૂ કરી

જંબુસરના દહેગામ ખાતે રહેતા 48 વર્ષીય મુસાભાઈ મોટાજી બાઈક પર કાવી તરફ જઈ રહ્યા હતા ત્યારે કાવી રોડ પર સામે તરફથી આવી રહેલા ટ્રેક્ટરે અચાનક ટક્કર મારી હતી

New Update
ભરૂચના જંબુસરના દહેગામ ખાતે રહેતા 48 વર્ષીય મુસાભાઈ મોટાજી બાઈક પર કાવી તરફ જઈ રહ્યા હતા ત્યારે કાવી રોડ પર સામે તરફથી આવી રહેલા ટ્રેક્ટરે અચાનક ટક્કર મારી હતી. જેમાં બાઈક ચાલક માર્ગ પર પટકાયા હતા.બાઈકચાલકને ગંભીર ઇજા પહોંચતા તેમને જંબુસર સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા જ કાવી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે.
Read the Next Article

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની ડ્રાઇવનો પ્રારંભ, ઢોર ડબ્બામાં 14 રખડતા ઢોર પુરાયા....

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

New Update
stray cattlessss

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

ભરૂચ સહિત અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ગઈ છે, ત્યારે રખડતા ઢોર મામલે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં રખડતા ઢોર પકડવાની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. જેમાં ગાય અને વાછરડા સહિત 14 રખડતા ઢોરને ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડાની રાહબરી હેઠળ સેનીટેશન ખાતાના 4 સુપરવાઈઝર અને 1 મુકાદમ સહિત 5 શ્રમિકો દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ, અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પશુ પાલકોને તાકીદ કરવામાં આવે છે કે, તમારા પશુઓને ઘરે બાંધીને રાખો અને એને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં. જો તઓને આપેલ સૂચનાનું પાલન કરવામાં આવશે નહીં, તો જે તે પશુપાલકો વિરુદ્ધ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Latest Stories