ભરૂચ: 21 લોકોના ઘરે હંમેશા માટે કોઈ રાહ જોતું જ રહી ગયું !જુઓ સ્પેશ્યલ રિપોર્ટ

ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતોની વણઝાર જોવા મળી હતી. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.માર્ગો લોહી લુહાણ અને કાળમુખા બની રહ્યા છે.

New Update
  • ભરૂચ જિલ્લામાં અકસ્માતોની વણઝાર

  • દિવાળી બાદનો સમય ભારે

  • 20 દિવસમાં અકસ્માતના 11 બનાવ

  • 21 લોકોએ જીવ ગુમાવ્યા

  • કોઈએ પતિ ગુમાવ્યો તો કોઈએ પુત્ર !

ભરૂચ અને અંકલેશ્વરમાં દિવાળી બાદનો સમયગાળો ભારે જોવા મળી રહ્યો છે. માર્ગ અકસ્માતોની વણઝારના કારણે રસ્તાઓ જાણે રક્તરંજિત બન્યા છે ત્યારે 20 દિવસના આ સમયગાળામાં 21 લોકોએ જીવ  ગુમાવવાનો વારો આવ્યો છે

ભરૂચ અને અંકલેશ્વરમાં દિવાળી બાદનો સમયગાળો ઘાતક સાબિત થઈ રહ્યો છે. દિવાળી બાદના દિવસોમાં ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતોની વણઝાર જોવા મળી હતી. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.માર્ગો લોહી લુહાણ અને કાળમુખા બની રહ્યા છે. રોજ કોઇ માતા-પિતાનો લાડકવાયો છીનવાય છે, કોઇ પત્ની વિધવા બને છે, કોઇને વળી જિંદગીભર ખોડખાંપણ રહી જાય છે અને જિંદગી કોઇના ટેકે જીવવાનો વારો આવે છે. જેનાથી કોઇના પરિવારની કાયમની ખુશી છીનવાઇ રહી છે. ભરૂચ જિલ્લામાં દિવાળી બાદના સમયગાળામાં માર્ગ અકસ્માતના કુલ 11 બનાવો નોંધાયા છે જેમાં 21 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

માર્ગ અકસ્માતની કાળી તવારીખ પર નજર 
તારીખ 19 નવેમ્બર
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પેપર આમુદ નજીક કચ્છના પરિવારની કાર રેલિંગ સાથે ભટકાતા કારમાં સવાર બે લોકોના મોત નિપજ્યા
તારીખ 18 નવેમ્બર
જંબુસરના મગણાદ ગામ નજીક ઊભેલી ટ્રક પાછળ ધડાકાભેર કાર ભટકાતા ઇકો કારમાં સવાર સાત લોકોના મોત નિજીયા જ્યારે ત્રણ લોકોને ઈજા પહોંચી
તારીખ 18 નવેમ્બર
અંકલેશ્વરના પાનોલી નજીક એસટી બસની ટકકરે બાઇક સવાર પતિ પત્ની પૈકી પતિનું ઘટના સ્થળે જ્યારે પત્નીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું
તારીખ 15 નવેમ્બર
અંકલેશ્વર સુરત સ્ટેટ હાઇવે પર હાંસોટના શેરા ગામ નજીક કાર વૃક્ષ સાથે ધડાકાભેર ભટકાતા કારમાં સવાર ભાવનગરના ત્રણ યુવાનોના મોત નિપજ્યા
તારીખ 15 નવેમ્બર
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભરૂચના આમોદ નજીક આગળ ચાલતી ટ્રકમાં પાછળથી કાર ભટકાતા કારમાં સવાર મહિલાનું મોત નીપજ્યું હતું
તારીખ 13 નવેમ્બર
અંકલેશ્વરના કોસમડી ગામ નજીક રસ્તે રખડતા પશુ સાથે બાઈક સવાર ભટકાતા બાઈક સવારનું ગંભીર ઇજાના પગલે કરુણ મોત નિપજ્યું હતું
તારીખ 10 નવેમ્બર
અંકલેશ્વર નજીક નેશન હાઇવે નંબર 48 પર અકસ્માતના બે બનાવમાં બે લોકોના મોત નિપજ્યા હતા.વર્ષા હોટલ નજીક અજાણ્યા વાહનની અડફેટે એક યુવાન તો પદ્માવતી નગર નજીક પણ એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું
તારીખ 7 નવેમ્બર
અંકલેશ્વર નજીક હાઇવે પર ઓસ્કાર હોટલ પાસે અજાણ્ય વાહનની અડફેટે મોપેડ સવાર યુવાનનું મોત નિપજ્યુ હતુ
તારીખ 2 નવેમ્બર
અંકલેશ્વર હાંસોટ રોડ પર પુનગામ નજીક કાર વૃક્ષ સાથે ભટકાતા વડોદરાના પરિવારને અકસ્માત નડ્યો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે 2 લોકોને ઈજા પહોંચતી હતી
તારીખ 2 નવેમ્બર
અંકલેશ્વર નજીક હાઇવે પર સાળંગપુર પાટીયા પાસે અજાણ્યા વાહનની અડફેટે સાયકલ સવાર વૃદ્ધનું મોત નીપજ્યું હતું આમ ભરૂચ જિલ્લામાં માત્ર 20 જ દિવસમાં માર્ગ અકસ્માતના કુલ 11 બનાવમાં 21 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.પહેલાની સરખામણીમાં રસ્તાઓ સુધર્યા, વાહનોમાં સેફટી ફીચર્સ ઉમેરાયા,ડિજિટિલાઇઝેશન થયું છતાં માર્ગ અકસ્માતો ઘટયા નથી.માર્ગ અકસ્માતો થવા પાછળ  રાત્રી પ્રવાસ દરમ્યાન આવતી ઉંઘ, નશો, બેફામ ઝડપ, વાહનની યાંત્રિક ખામી જવાબદાર હોય શકે. જયારે  રસ્તા પરના ખાડા, ડાયવર્ઝન, અધૂરા કામો, બિસ્માર  રસ્તાઓ, ટ્રાફિક નિયમન માટે અપૂરતુ પોલીસ દળ પણ એટલું જ જવાબદાર છે ત્યારે સાવધાની રાખી વાહન હંકારીએ કારણ કે ઘરે કોઈ રાહ જોઈ રહ્યું છે.....
Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.