/connect-gujarat/media/media_files/2024/12/10/mzckJfE82n6otkH2EEmz.jpg)
ભરૂચના વાગરા સ્થિત જગલ ખાતાની કચેરી નજીકમાં આવેલ ઝાડ ઉપર પાલો પાડવા માટે ચઢેલા કિશોર ઉપર મધ માખીઓએ હુમલો કરતા ૮-૧૦ ફૂટ ઉપરથી કૂદકો મારી કિશોર નીચે કૂદી પડ્યો હતો. અને બચાવો બચાવોની બૂમો પાડતા વાગરા મામલતર કચેરીના કમ્પાઉન્ડમાં પહોંચી નીચે પડી આળોટવા લાગતા કચેરીમાં પણ એક સમયે નાસભાગ મચી જવા પામી હતી. બાળકની ચીસો સાંભળી મહેસુલ વિભાગના નવનિયુક્ત નાયબ મામલતદાર સંજય ખત્રીએ મદદે આવી બાળકને સારવાર હેઠળ ખસેડી માનવતાનું કાર્ય કર્યું હતું. બાળકના માથાના વાળમાં ભેરવાયેલી મધમાખીઓ તેમજ શરીરમાં લાગેલો ડંખો કાઢવાની કામગીરીમાં લાગી ગયા હતા. મધમાખીઓના હુમલામાં અન્ય બે બાળકો પણ ઇજાગ્રસ્ત થયા હતા.