ભરૂચ : એસટી. બસમાં મુસાફરી કરતાં વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે સિટી સેન્ટર એસટી. ડેપો ખાતે 3 કાઉન્ટર કાર્યરત કરાયા...

ભરૂચ શહેરના સિટી સેન્ટર એસટી. બસ ડેપો ખાતે એસટી. બસમાં મુસાફરી કરતાં વિદ્યાર્થીઓની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે.

New Update
  • શહેરના સિટી સેન્ટર એસટી. બસ ડેપો ખાતે કરાયું આયોજન

  • એસટી. બસમાં મુસાફરી કરતાં વિદ્યાર્થીઓની સુવિધામાં વધારો

  • વિદ્યાર્થીઓને બસના પાસ કઢાવવામાં નહીં પડે અગવડતા

  • એસટી. બસ ડેપો ખાતે 3 કાઉન્ટર કાર્યરત કરવામાં આવ્યા

  • ડોક્યુમેન્ટનું લિસ્ટ પણ કાઉન્ટર પર પ્રદર્શિત કરવામાં આવ્યું

ભરૂચ શહેરના સિટી સેન્ટર એસટી. બસ ડેપો ખાતે એસટી. બસમાં મુસાફરી કરતાં વિદ્યાર્થીઓની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને એસટી. બસના પાસ કઢાવવામાં અગવડતા ન પડે તે માટે એસટી. બસ ડેપો ખાતે 3 જેટલા કાઉન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે.

હાલ દિવાળી વેકેશન પૂર્ણ થતા જ શાળાનું નવું શૈક્ષણિક સત્ર પણ શરૂ થયું છે. તેવામાં શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને એસટી. બસના પાસ કઢાવવામાં અગવડતા ન પડે તે માટે ભરૂચ એસટી. વિભાગ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ શહેરના સિટી સેન્ટર એસટી. બસ ડેપો ખાતે પાસ કઢાવવા માટે અલાયદું કાઉન્ટર કાર્યરત હોય છેજ્યારે હાલ પાસ કઢાવવા માટે 3 કાઉન્ટર કાર્યરત કરવામાં આવ્યા છેજેથી વિદ્યાર્થીઓને સહેલાઈથી અને ઝડપી પાસ મળી રહેતા લાંબી કતારોમાં ઉભા રેહવું ન પડે.

આ સાથે જ એસટી. બસ ડેપો ખાતે લોકોની વધુ ભીડ ન જામે તેવું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીંવિદ્યાર્થીઓને પાસ કઢાવાવા માટે જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ પણ કાઉન્ટર ઉપર પ્રદર્શિત કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે હાલ ઇ-પાસ સિસ્ટમ કાર્યરત હોયજેથી તમામ વિદ્યાર્થીઓના પાસ ફોર્મ પર વિદ્યાર્થી દ્વારા શાળામાંથી પોતાનો CTS નંબર ફરજિયાતપણે મેળવી લેવાનો રહેશે. આમ આગામી દિવસોમાં એસટી. બસમાં મુસાફરી કરતાં વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેના આયોજન અંગે ડેપો મેનેજર દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી.

 

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.