ભરૂચ : જિલ્લાના કુલ 18 કેન્દ્રો ઉપર 3405 વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે,વહીવટી તંત્ર સજ્જ

 ભરૂચ જિલ્લાના કુલ 18 કેન્દ્રો ઉપર 3405 વિદ્યાર્થી ગુજકેટની પરીક્ષા આપશે,173 બ્લોકમાં યોજાનાર એક્ઝામ માટે તંત્ર સંપૂર્ણ સજ્જ થઈ ગયું છે.

New Update
  • ગુજકેટપરીક્ષાને પાર પાડવા માટે તંત્ર સજ્જ

  • જિલ્લા 18 કેન્દ્રો પર યોજાશે પરીક્ષા

  • 3405 વિદ્યાર્થીઓઆપશે પરીક્ષા

  • પરીક્ષા સવારે 10 કલાકથી સાંજે 4 કલાક સુધી યોજાશે

  • પરીક્ષા કેન્દ્રોને સીસીટીવીથી કરાયા સજ્જ

ભરૂચ જિલ્લાના કુલ 18 કેન્દ્રો ઉપર 3405 વિદ્યાર્થી ગુજકેટની પરીક્ષા આપશે,173 બ્લોકમાં યોજાનાર એક્ઝામ માટે તંત્ર સંપૂર્ણ સજ્જ થઈ ગયું છે.

ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12ની બોર્ડ પરીક્ષા બાદ ગુજકેટના પરીક્ષાના સુચારૂ  આયોજન કરવામાં આવ્યું છે.ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલે તંત્રની તૈયારી અને ગુજકેટની પરીક્ષા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં 18 સ્થળો પર  3405 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.જેમાં 1611 ગુજરાતી માધ્યમ1762 અંગ્રેજી માધ્યમ32- હિન્દી માધ્યમવાળા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

23મી માર્ચે યોજાનારી આ પરીક્ષાનો સમય સવારે 10 કલાકથી સાંજે 4 કલાક સુધીનો રહેશે.જેમાં સવારે ભૌતિક અને રસાયણ વિજ્ઞાનજીવ વિજ્ઞાન,ગણિતની પરીક્ષા લેવામાં આવશે.તમામ કેન્દ્ર સીસીટીવી થી સજ્જ છે,તેમજ વીજ,એસ.ટીઆરોગ્ય અને પોલીસ વિભાગને પણ વિદ્યાર્થીઓ ને કોઈ તકલીફ ન પડે તે માટેની જરૂરી સૂચના આપી દેવામાં આવી છે.પરીક્ષા કેન્દ્ર પર સવારના નવ કલાકે વિદ્યાર્થીઓને પહોંચી જવા માટે પણ જિલ્લા શિક્ષણાધિકારીએ તાકીદ કરી છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓને એક પછી એક બે પેપર હોય તો પરીક્ષા કેન્દ્ર બહાર નહી બોલાવવા પણ વાલીઓને અપીલ કરવામાં આવી છે.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.