ભરૂચ: વાલિયાના 10 ગામોમાં 40 ટીમોનું વીજ ચેકીંગ, રૂ.27 લાખનો દંડ વસુલ કરાયો

ભરૂચના વાલિયા તાલુકામાં GUVNLની 40 ટીમોએ ત્રાટકી  વીજ ચોરી કરતા 93 તત્વોને ઝાટકો આપી રૂપિયા 27 લાખનો દંડ ફટકાર્યો હતો

New Update
  • ભરૂચના વાલિયા તાલુકાનો બનાવ

  • મોટાપાયે વીજ ચેકીંગ હાથ ધરાયુ

  • 10 ગામોમાં 40 ટીમોએ કર્યું ચેકીંગ

  • 93 જોડાણમાંથી ગેરરીતિ ઝડપાય

  • 27 લાખનો દંડ વસુલ કરાયો

ભરૂચના વાલિયા તાલુકામાં GUVNLની 40 ટીમોએ ત્રાટકી  વીજ ચોરી કરતા 93 તત્વોને ઝાટકો આપી રૂપિયા 27 લાખનો દંડ ફટકાર્યો હતો
ભરૂચના વાલિયા તાલુકામાં જ્યોતિ ગ્રામ ફીડર પર આવેલા ગામોમાં ઊંચા વીજ વિતરણ નુકશાનને લઈ  વીજ કંપની ત્રાટકી હતી.વાલિયા તાલુકાના JGY ફીડરો પર ટી એન્ડ ડી લોસને લઈ વીજ ચોરી પકડી પાડવા દરોડા પાડવામાં આવ્યા હતા.ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની 40 ટીમોએ સવારે 6 કલાકે વાલિયાના ગામોને ધમરોળિયા હતા.તાલુકાના ગુંદિયા જે.જી.વાયમાં ડહેલી તુણા,ભમાડીયા અને જે.જી.વાય.દેસાડ,સોડગામ,વિઠ્ઠલ ગામ,ઉમરગામ તેમજ ભમાડીયા જે.જી.વાય તેમજ વાલિયા ટાઉનમાં તપાસ હાથ ધરાઈ હતી.
આ ત્રણ ફીડરોમાં સમાવિષ્ટ  ડહેલી,ભામડીયા અને ગુંદીયા સહિત 10થી વધુ ગામોમાં પોલીસ બંદોબસ્ત સાથે 1480 જોડાણોની તપાસ કરાઈ હતી.વીજ ચેકીંગમાં 93 જોડાણમાંથી ગેરરીતિ ઝડપાઇ હતી. જેમાં વીજ ચોરી બદલ 27 લાખનો દંડ ફટકારવવામાં આવતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
Read the Next Article

ભરૂચ: શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે 15 લોકો સાથે રૂ.1.59 કરોડની ઠગાઈ, એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

New Update
  • ભરૂચમાં ચકચારી મામલો પ્રકાશમાં આવ્યો

  • 15 લોકો સાથે આચરવામાં આવી ઠગાઈ

  • શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે ઠગાઈ

  • રૂ.1.59 કરોડની ઠગાઈ આચરવામાં આવી

  • ઠગ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા અને કર્મકાંડ તેમજ ખેતી કરતા ચેતનકુમાર ગણપતરામ પુરોહિતનો ચાર વર્ષ પહેલાં ભરૂચના નિપન નગરમાં રહેતા રાહુલ અરવિંદ પંચાલ સાથે પરિચય થયો હતો. ચેતને પોતે મુંબઈની આઈ.આઈ એફ.એલ.નામની કંપનીમાં શેર બ્રોકર કામ તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું તેમજ વધુ વળતર આપવાની ચેતનકુમારને લાલચ આપી હતી.વધુ વળતરની લાલચે ચેતન પુરોહિત અને અન્ય 15 જેટલા લોકોએ રાહુલ પંચાલને રૂ.1.59 કરોડ આપ્યા હતા.
શરૂઆતમાં રાહુલ વિશ્વાસ કેળવવા કેટલાક રૂપિયા વળતર પેટે પરત પણ આપ્યા હતા જોનકે બાદમાં તેણે રૂપિયા ચુકાવવાનું બંધ કરી દીધું હતું જેને પગલે ભેજાબાજ વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.