ભરૂચ : વડોદરાના કમાટી બાગમાં જોય ટ્રેનની અડફેટે જંબુસરની 4 વર્ષીય બાળકીનું ગંભીર ઇજાના પગલે મોત...

વડોદરાના કમાટી બાગમાં જોય ટ્રેનની અડફેટે ભરૂચ જિલ્લાના જંબુસર નગરના કસ્બા ફળિયામાં રહેતી 4 વર્ષીય બાળકીનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું.

New Update
  • વેકેશન હોવાથી કમાટી બાગ-વડોદરા ગયો હતો જંબુસરનો પરિવાર

  • કમાટી બાગમાં પરિવારની 4 વર્ષીય બાળકીને નડ્યો હતો અકસ્માત

  • જોય ટ્રેનની અડફેટે આવી જતાં બાળકીને પહોચી હતી ગંભીર ઇજા

  • ઇજાગ્રસ્ત બાળકીને હોસ્પિટલ લઈ જતાં હાજર તબીબે મૃત જાહેર કરી

  • અકસ્માતે મોતનો ગુન્હો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

વડોદરાના કમાટી બાગમાં જોય ટ્રેનની અડફેટે ભરૂચ જિલ્લાના જંબુસર નગરના કસ્બા ફળિયામાં રહેતી 4 વર્ષીય બાળકીનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું.

હાલ શાળાઓમાં વેકેશન ચાલી રહ્યું છેત્યારે પર્યટન સ્થળો પર લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. તેવામાં ભરૂચ જિલ્લાના જંબુસર નગરના કસ્બા ફળિયામાં રહેતો પરિવાર વડોદરાના કમાટી બાગ ખાતે હરવા ફરવા માટે આવ્યો હતોજ્યાં આ પરિવારની 4 વર્ષીય બાળકી ખદિજા પરવેજ પઠાણ કમાટી બાગમાં ગેટ નંબર 2 પાસેથી પસાર થઈ રહેલ જોય ટ્રેનના એન્જિનની અટફેટમાં આવી હતી. જેના પગલે ખદિજા પઠાણને ગંભીર ઇજાઓ પહોચતા તે બેભાન થઈ ગઈ હતી. જોકેઇજાગ્રસ્ત બાળકીને તેનો પરિવાર તાત્કાલિક નજીકના હોસ્પિટલ લઈ ગયો હતોજ્યાં હાજર તબીબી બાળકીને તપાસતા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટના બાદ જોય ટ્રેનનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. તો બીજી તરફ4 વર્ષીય માસૂમ બાળકીનું આકસ્મિક મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાય છે.

Read the Next Article

ભરૂચ: દહેજ બાયપાસ રોડ પર ભારદારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધથી ટ્રાફિકજામની સમસ્યા હળવી બની

જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ દહેજ બાયપાસ રોડ ઉપર શ્રવણ ચોકડી અને મનુબર ચોકડી સહિતના મહત્વના વિસ્તારોમાં ટ્રાફિકજામની પરિસ્થિતિ હળવી બની

New Update
  • ભરૂચના દહેજ બાયપાય રોડનું તંત્રનું જાહેરનામું

  • ભારદારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

  • જાહેરનામાના કારણે ટ્રાફિકજામની સમસ્યા હળવી બની

  • બહારથી આવતા વાહનચાલકો પરેશાન

  • કલાકોના કલાકો હાઇવે પર જ વિતાવવા પડે છે

ભરૂચના દહેજ બાયપાસ રોડ પર ભારદારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધના તંત્રના જાહેરનામા બાદ ટ્રાફિકજામની સમસ્યા આંશિક હળવી બની છે જોકે બહારથી આવતા ભારદારી વાહનોના ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભરૂચ વહીવટી તંત્ર દ્વારા શહેરના દહેજ બાયપાસ રોડ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેની અસર હવે માર્ગો પર દેખાઈ રહી છે. આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ દહેજ બાયપાસ રોડ ઉપર શ્રવણ ચોકડી અને મનુબર ચોકડી સહિતના મહત્વના વિસ્તારોમાં ટ્રાફિકજામની પરિસ્થિતિ હળવી બની છે શ્રવણ ચોકડી નજીક બની રહેલ એલિવેટર બ્રિજની કામગીરીના કારણે ટ્રાફિકજામની સર્જાતી પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં મોટા ભારદારી વાહનો સવારે 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા દરમ્યાન પસાર થઈ શકતા નથી. 

જાહેરનામાના કારણે દહેજ ઔદ્યોગિક વસાહતમાં નોકરી જતા સેંકડો વાહન ચાલકોને રાહત સાંપડી છે તો બીજી તરફ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અને દહેજ તરફથી આવતા ભારદારી વાહનચાલકોની હાલત કફોડી બની છે તેઓએ કલાકોના કલાકો એન્ટ્રી માટે રાહ જોવી પડી રહી છે. અન્ય પ્રદેશમાંથી આવતા વાહન ચાલકોને આ જાહેરનામનો ખ્યાલ ન હોવાના કારણે તેઓ ભરૂચ સુધી તો આવી જાય છે પરંતુ દહેજ બાયપાસ રોડ પરનો એન્ટ્રીના કારણે તેઓએ હાઇવે પર જ 10 થી 12 કલાક વિતાવવા પડે છે.

#Traffic jam #Bharuch News #heavy vehicles #Dahej Bypass Road #Bharuch Traffic Jam
Latest Stories