ભરૂચ: ઝાડેશ્વર-તવરા માર્ગ પર બેફામ દોડતી લકઝરી બસ ડીવાયડર પર ચઢી ગઈ, CCTV ફૂટેજ બહાર આવ્યા

ભરૂચના ઝાડેશ્વર તવરા માર્ગ પર બેફામ દોડતી ખાનગી લકઝરી બસના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા બસ ડિવાઈડર પર ચઢી ગઈ હતી.આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે.

New Update
  • ભરૂચના ઝાડેશ્વર તવરા રોડની ઘટના

  • બસ ડીવાયડર પર ચઢી ગઈ

  • ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત

  • અકસ્માતના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા

  • સદનસીબે કોઈ જાનહાની નહીં

ભરૂચના ઝાડેશ્વર તવરા માર્ગ પર બેફામ દોડતી ખાનગી લકઝરી બસના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા બસ ડિવાઈડર પર ચઢી ગઈ હતી.આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે.
ભરૂચ- તવરા માર્ગ પર ખાનગી કંપનીની લક્ઝરી બસ કર્મચારીઓને પીકઅપ કરવા જઈ રહી હતી આ દરમ્યાન બસચાલકે  પૂરજોશમાં બસ હાંકતાં સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી બેઠો હતો અને બસ સીધી ડિવાઈડર પર ચઢી ગઈ હતી.આ બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. જો કે રસ્તા પર અન્ય વાહનો હોત તો ગંભીર દુર્ઘટના સર્જાઈ શકી હોત. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચના ઝાડેશ્વરથી તવરા સુધીનો માર્ગ છેલ્લા ઘણા સમયથી ખસ્તા હાલતમાં છે. તંત્ર દ્વારા હાલમાં આ માર્ગના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરિણામે માર્ગના કેટલાક હિસ્સાઓ પર ટ્રાફિકજાની સ્થિતિ સર્જાઈ રહી છે. વહીવટી તંત્રએ અસ્થાયી નિર્ણય કરીને આ રસ્તાને વન-વે જાહેર કર્યો છે, જેના કારણે મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.