ભરૂચ: વાગરાના પણીયાદરા પાસે ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત,બે વ્યક્તિઓના કરૂણ મોત

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પણીયાદરા ગામ નજીક વહેલી સવારે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બે વ્યક્તિના ઘટના સ્થળ પર કરૂણ મોત નિપજ્યા છે.ઘટના અંગે દહેજ પોલીસે તપાસ હાથ ધરી છે.

New Update
  • વાગરામાં સર્જાયો ગોઝારો અકસ્માત

  • ટ્રક ચાલકે બાઈક સવારોને લીધ અડફેટે

  • બે વ્યક્તિઓના નિપજ્યા કરૂણ મોત

  • દહેજ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા

  • પોલીસે શરૂ કરી વધુ તપાસ  

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પણીયાદરા ગામ નજીક વહેલી સવારે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બે વ્યક્તિના ઘટના સ્થળ પર કરૂણ મોત નિપજ્યા છે.ઘટના અંગે દહેજ પોલીસે તપાસ હાથ ધરી છે.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પણીયાદરા ગામ નજીકથી એક બાઈક પર બે વ્યક્તિઓ પસાર થઈ રહ્યા હતા.આ સમય દરમિયાન એક ટ્રકના ચાલકે બાઈક ચાલકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઇક પર સવાર યુવાનો  રોડ પર પટકાયા હતા.સર્જાયેલા અકસ્માતમાં બાઈક સવારોને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળ પર જ બંને યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.આ સમયે ત્યાંથી પસાર થતા લોકો દોડી આવ્યા હતા.ઘટનાની જાણ દહેજ પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસ સ્ટાફ પણ તાત્કાલિક દોડી આવી સ્થળ પરથી બંને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.અને પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Read the Next Article

ભરૂચ : આમોદ નેશનલ હાઇવે નં.64 પર આર.ટી.ઓ.ની તપાસથી ટ્રક ચાલકોમાં ફફડાટ

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી

New Update
guj amod

90,000 રૂપિયાનો દંડ વસુલાયો, ઓવરલોડ અને બિનકાયદેસર વાહનો પર કાર્યવાહી

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આર.ટી.ઓ.ઇન્સ્પેક્ટર એમ.પી. ડાયમાની આગેવાની હેઠળ આ તપાસ દરમિયાન કુલ રૂ. 90,000 જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ માર્ગ પરથી દિવસ-રાત ભારે વાહનો પસાર થાય છે, જેમાં ખાસ કરીને નમક (મીઠું), રેતી અને હઝાર્ડ વેસ્ટ ભરેલ ટ્રકોનો સમાવેશ થાય છે. ઓવરલોડ અને સુરક્ષા નિયમોની અવગણનાથી અકસ્માતોની સંભાવના વધતી હોવાથી આર.ટી.ઓ. દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તપાસની માહિતી વાયુવેગે ફેલાતા કેટલાય ટ્રક ચાલકોએ પોતાની ઓવરલોડ વાહનો રસ્તા કિનારે ઊભા રાખી દિધા હોવાની વિગતો સામે આવી છે. રાત્રિના સમયે દહેજ તરફ જતા મીઠું ભરેલ ટ્રકો અને હઝાર્ડ વેસ્ટવાળા વાહનો ગંભીર જોખમ ઊભું કરે છે, કારણ કે કેટલાક વાહનોમાંથી પ્રવાહી રોડ પર સરકે છે, જેને લીધે અકસ્માતોની ઘટનાઓ સર્જાઈ છે.તદુપરાંત, કરજણથી વહેલી સવારે પસાર થતી રેતી ભરેલી ટ્રકોમાં યોગ્ય કવરિંગ ન હોવાને કારણે રેતી ઉડીને પાછળ આવતા બાઈક સવારોને આંખમાં વળગી જાય છે. રાત્રી દરમિયાન કેટલીક ટ્રકોની લાઈટો પણ બંધ હોવાના કારણે માર્ગ પર અકસ્માતનો ભય વધ્યો છે.