ભરૂચ: વાગરાના પણીયાદરા પાસે ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત,બે વ્યક્તિઓના કરૂણ મોત

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પણીયાદરા ગામ નજીક વહેલી સવારે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બે વ્યક્તિના ઘટના સ્થળ પર કરૂણ મોત નિપજ્યા છે.ઘટના અંગે દહેજ પોલીસે તપાસ હાથ ધરી છે.

New Update
  • વાગરામાં સર્જાયો ગોઝારો અકસ્માત

  • ટ્રક ચાલકે બાઈક સવારોને લીધ અડફેટે

  • બે વ્યક્તિઓના નિપજ્યા કરૂણ મોત

  • દહેજ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા

  • પોલીસે શરૂ કરી વધુ તપાસ  

Advertisment

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પણીયાદરા ગામ નજીક વહેલી સવારે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બે વ્યક્તિના ઘટના સ્થળ પર કરૂણ મોત નિપજ્યા છે.ઘટના અંગે દહેજ પોલીસે તપાસ હાથ ધરી છે.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પણીયાદરા ગામ નજીકથી એક બાઈક પર બે વ્યક્તિઓ પસાર થઈ રહ્યા હતા.આ સમય દરમિયાન એક ટ્રકના ચાલકે બાઈક ચાલકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઇક પર સવાર યુવાનો  રોડ પર પટકાયા હતા.સર્જાયેલા અકસ્માતમાં બાઈક સવારોને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળ પર જ બંને યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.આ સમયે ત્યાંથી પસાર થતા લોકો દોડી આવ્યા હતા.ઘટનાની જાણ દહેજ પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસ સ્ટાફ પણ તાત્કાલિક દોડી આવી સ્થળ પરથી બંને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.અને પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Advertisment
Read the Next Article

ભરૂચ : DGVCL દ્વારા માતરીયા ઇન્ટેકવેલ પર  કામગીરીને પગલે વીજ અને  પાણી પુરવઠો રહેશે બંધ

ભરૂચ શહેરના માતરીયા ઇન્ટેકવેલ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજ સપ્લાય બંધ રહેશે,જેના કારણે શહેરીજનોને અપાતો પાણી પુરવઠો પણ ખોરવાશે.

New Update
power cut

ભરૂચ શહેરના માતરીયા ઇન્ટેકવેલ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજ સપ્લાય બંધ રહેશે,જેના કારણે શહેરીજનોને અપાતો પાણી પુરવઠો પણ ખોરવાશે.

Advertisment

aa

ભરૂચ નગરપાલિકા દ્વારા એક અખબારી યાદી જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે તારીખ 30-05-2025ને શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી માતરીયા ઇન્ટેકવેલ ઉપર અપાતો વીજ પુરવઠો સવારના 7 કલાકથી બપોરેના 1 કલાક સુધી બંધ રાખવામાં આવશે.જેના કારણે શુક્રવારના રોજ સવારના 7 કલાકથી તમામ ટાંકી પરથી અપાતો પાણી પુરવઠો પણ બંધ રહેશે.જોકે તારીખ 31-05-2025ને શનિવારના રોજ તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી પુરવઠો રાબેતા મુજબ મળશે.

Advertisment