ભરૂચ: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં ભરૂચની વિવિધ સોસાયટીના રહીશોએ રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું
બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં ભરૂચની વિવિધ સોસાયટીના રહીશોએ રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું
ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ગણેશચતુર્થી અને નેશનલ સ્પોર્ટ્સ ડે અન્વયે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચ જિલ્લામાં આગામી તા. 28થી 31 ઓગસ્ટ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવવણીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં તા. 28મી ઓગસ્ટના રોજ શાળા કક્ષાએ નેશનલ સ્પોર્ટ્સ ડે અંર્તગત નિબંધ લેખન અને ચિત્ર સ્પર્ધા તેમજ ગણેશચતુર્થી નિમિત્તે શ્રેષ્ઠ પંડાલ પ્રતિયોગિતા યોજાશે, જ્યારે તા. 29 ઓગસ્ટના રોજ લુવારા સ્થિત એમીકસ ઈન્ટનેશલ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે, તો તા. 30 ઓગસ્ટના રોજ શાળાઓમાં મેદાનને અનુરૂપ પરંપરાગત વિવિધ રમતોનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.
આ સાથે જ તા. 31 ઓગસ્ટના રોજ ભરૂચ શહેરમાં‘સન્ડે ઓન સાઈકલ’ રેલીનું પણ વિશેષ આયોજન હાથ ધરાયું છે. વહેલી સવારે 6.30 કલાકે કલેક્ટર કચેરીના પટાંગણથી સાયક્લોથોનનો મહાનુભાવોની અધ્યક્ષતામાં પ્રારંભ કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્ર્મની વિસ્તૃત માહિતી આપવા હેતુસર ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.