ભરૂચ: આમોદના ઓચ્છણ ગામે ગરીબો માટેનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું !

ભરૂચના આમોદ તાલુકાના ઓચ્છણ ગામે ગરીબો માટેના સરકારી અનાજની હેરાફેરી કરતા બે ઇસમો પોલીસની જાળમાં ફસાયા છે. ટ્રેક્ટરમાં ભરેલો ચોખા અને ઘઉંનો જથ્થો દિવેલા ગામના ખેતરમાંથી મળી આવ્યો હતો

New Update
  • ભરૂચના આમોદનો બનાવ

  • સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ

  • ટ્રેક્ટરમાં અનાજની કરવામાં આવી હતી હેરાફેરી

  • રૂ.70 હજારની કિંમતનું અનાજ જપ્ત કરાયુ

  • સસ્તા અનાજની દુકાનમાં પણ તપાસ શરૂ કરાય

ભરૂચના આમોદ તાલુકાના ઓચ્છણ ગામે ગરીબો માટેના સરકારી અનાજની હેરાફેરી કરતા બે ઇસમો પોલીસની જાળમાં ફસાયા છે. ટ્રેક્ટરમાં ભરેલો ચોખા અને ઘઉંનો જથ્થો દિવેલા ગામના ખેતરમાંથી મળી આવ્યો હતો
ભરૂચ આમોદ પોલીસને મળેલી  બાતમીના આધારે ઓચ્છણ ગામની સીમથી પસાર થતા ટ્રેક્ટર નંબર GJ-16-BK-8233ને રોકી તપાસ કરવામાં આવી. ટ્રેક્ટર પાછળ લાગેલી ટ્રોલીમાં ચોખાની ૨૮ અને ઘઉંની ૧૯ થેલીઓ મળી આવી હતી. આ અનાજનો અંદાજિત કુલ વજન ૨૩૫૨ કિલોગ્રામ હોવાનું બહાર આવ્યું હતું.ટ્રેક્ટરનો ડ્રાઈવર ઈશ્વર રાઠોડ તથા અનાજનો માલિક ભૂપેન્દ્રભાઈ  પટેલે  પૂછપરછ દરમિયાન  કોઈ પણ આધારભૂત દસ્તાવેજ રજૂ કરી શક્યા નહોતા. આથી પોલીસે વધુ તપાસ કરતા અનાજનો જથ્થો ખેતરમાંથી પણ મળી આવ્યો હતો.પુરવઠા મામલતદાર અને પોલીસની ટીમે રૂ.70 હજારની કિંમતનું અનાજ અને રૂ.5 લાખની કિંમતનું ટ્રેકટર કબ્જે કર્યું હતું. આ સાથે જ ઓચ્છણ ગામે અનાજની દુકાન પર ચેકિંગ હાથ ધરાયું હતું. દુકાન સંચાલકના જવાબો અસંતોષકારક હોવાના કારણે તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. 
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.