ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા અનોખું અભિયાન હાથ ધરાયું, જુઓ વિદ્યાર્થીઓએ બિનજરૂરી પતંગની દોરીનું શું કર્યું..!

ઉત્તરાયણના પર્વમાં લોકોએ પતંગ ચગાવવાની ઘણી મજા માણી હશે. પરંતુ બિનજરૂરી પતંગની દોરીના કારણે ઘણીવાર અકસ્માત સર્જાતા હોય છે.

New Update
  • જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા અનોખુ અભિયાન હાથ ધરાયું

  • ઉત્તરાયણ બાદ બિનજરૂરી પતંગ દોરીને એકત્ર કરવામાં આવી

  • પક્ષી તેમજ લોકોને દોરી સામે રક્ષણ મળે તે માટેનું અભિયાન

  • માર્ગ-મકાન પરથી પતંગ દોરીનો જથ્થો એકત્ર કરવામાં આવ્યો

  • શાળાની સરાહનીય કામગીરીને આસપાસના સ્થાનિકોએ બિરદાવી

ઉત્તરાયણના પર્વમાં લોકોએ પતંગ ચગાવવાની ઘણી મજા માણી હશે. પરંતુ બિનજરૂરી પતંગની દોરીના કારણે ઘણીવાર અકસ્માત સર્જાતા હોય છે. જેમાં પક્ષીઓ સહિત વાહનચાલકો અકસ્માતનો ભોગ ન બને તે માટે દોરીના ગુચ્છાઓ એકત્રિત કરવા ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ અભિયાનો હાથ ધરવામાં આવે છે. ઉત્તરાયણ પર્વે પતંગની દોરીથી ઇજા પામતા અનેક પક્ષીઓ મોતને ભેટે છે. ઉપરાંત લોકો પતંગ ચગાવી બિનજરૂરી દોરીને ગમે ત્યાં જ ફેંકી દેતા હોય છેત્યારે ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા પક્ષી તેમજ લોકોની સુરક્ષાનું ધ્યાન રાખી જાહેર માર્ગ તથા વીજ વાયર પર લટકતી બિનજરૂરી પતંગની દોરીને એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જોકેવિદ્યાર્થીઓએ શાળા વિસ્તારમાંથી બિનજરૂરી પતંગની દોરીનો જથ્થો એકઠો કરી શાળાને અર્પણ કર્યો હતો. જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ આ અભિયાન થકી અન્ય લોકોને અનોખી રીતે માનવતાના દર્શન કરાવ્યા હતા. આમ અનોખું અભિયાન હાથ ધરવામાં આવતા લોકોએ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલની સરાહનીય કામગીરીને બિરદાવી હતી.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.