ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા અનોખું અભિયાન હાથ ધરાયું, જુઓ વિદ્યાર્થીઓએ બિનજરૂરી પતંગની દોરીનું શું કર્યું..!

ઉત્તરાયણના પર્વમાં લોકોએ પતંગ ચગાવવાની ઘણી મજા માણી હશે. પરંતુ બિનજરૂરી પતંગની દોરીના કારણે ઘણીવાર અકસ્માત સર્જાતા હોય છે.

New Update
  • જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા અનોખુ અભિયાન હાથ ધરાયું

  • ઉત્તરાયણ બાદ બિનજરૂરી પતંગ દોરીને એકત્ર કરવામાં આવી

  • પક્ષી તેમજ લોકોને દોરી સામે રક્ષણ મળે તે માટેનું અભિયાન

  • માર્ગ-મકાન પરથી પતંગ દોરીનો જથ્થો એકત્ર કરવામાં આવ્યો

  • શાળાની સરાહનીય કામગીરીને આસપાસના સ્થાનિકોએ બિરદાવી

ઉત્તરાયણના પર્વમાં લોકોએ પતંગ ચગાવવાની ઘણી મજા માણી હશે. પરંતુ બિનજરૂરી પતંગની દોરીના કારણે ઘણીવાર અકસ્માત સર્જાતા હોય છે. જેમાં પક્ષીઓ સહિત વાહનચાલકો અકસ્માતનો ભોગ ન બને તે માટે દોરીના ગુચ્છાઓ એકત્રિત કરવા ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ અભિયાનો હાથ ધરવામાં આવે છે. ઉત્તરાયણ પર્વે પતંગની દોરીથી ઇજા પામતા અનેક પક્ષીઓ મોતને ભેટે છે. ઉપરાંત લોકો પતંગ ચગાવી બિનજરૂરી દોરીને ગમે ત્યાં જ ફેંકી દેતા હોય છેત્યારે ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા પક્ષી તેમજ લોકોની સુરક્ષાનું ધ્યાન રાખી જાહેર માર્ગ તથા વીજ વાયર પર લટકતી બિનજરૂરી પતંગની દોરીને એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જોકેવિદ્યાર્થીઓએ શાળા વિસ્તારમાંથી બિનજરૂરી પતંગની દોરીનો જથ્થો એકઠો કરી શાળાને અર્પણ કર્યો હતો. જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ આ અભિયાન થકી અન્ય લોકોને અનોખી રીતે માનવતાના દર્શન કરાવ્યા હતા. આમ અનોખું અભિયાન હાથ ધરવામાં આવતા લોકોએ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલની સરાહનીય કામગીરીને બિરદાવી હતી.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.