New Update
ભરૂચના વાલિયા નજીકનો બનાવ
ચોર સમજી યુવાનને મરાયો માર
સોડગામનો યુવાન જઈ રહ્યો હતો નોકરીએ
કાર રોકી અજાણ્યા ઈસમોએ માર માર્યો
વાલિયા પોલીસ મથકે યુવાને આપી અરજી
ભરૂચના વાલિયાના સોડગામથી દેસાડને જોડતા માર્ગ પરથી પસાર થતાં યુવાનનર ચોર સમજીને લોકોએ માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે જ યુવાનની કારમાં પણ તોડફોડ કરવામાં આવી હતી
હાલમાં સોશિયલ મીડિયા પર વિવિધ ગામોમાં ચોર ફરી રહ્યા હોવાના મેસેજ વાયરલ થઈ રહ્યા છે જેના પગલે ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે ત્યારે વાલીયાના વિવિધ ગામોમાં પણ યુવાનો રાત્રીરોન કરી રહ્યા છે.આ દરમ્યાન આજે વહેલી સવારે વાલીયાના સોડગામથી દેસાડ જવાના માર્ગ પરથી પસાર થઇ યુવાનને લોકોએ રોકી માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.સોડગામનો ગામનો રહેવાસી જયવિરસિંહ ડોડીયા આજે વહેલી સવારે નોકરીએ જવા નીકળ્યો હતો ત્યારે સોડગામ દેસાડ માર્ગ પર કેટલાક અજાણ્યા લોકોએ તેની કાર અટકાવી તેને માર માર્યો હતો અને કારમાં પણ તોડફોડ કરી હતી જો કે ગભરાયેલ યુવાન બાદમાં કાર લઈ ત્યાંથી નીકળી ગયો હતો. યુવાનની કારનું પાર્સિંગ અન્ય જિલ્લાનું હોય લોકોએ તેને ચોર સમજી માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ બાબતે યુવાન દ્વારા વાલીયા પોલીસમાં અરજી આપવામાં આવી છે.સોશિયલ મીડિયા પર હાલ ચોર અંગેના મેસેજ થઈ રહ્યા છે ત્યારે લોકોને અફવાઓથી દુર રહી આ પ્રકારે કાયદો હાથમાં ન લેવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે