ભરૂચ : જંબુસરની RTPCR લેબમાં થયેલ AC-લેપટોપની ચોરીનો ભેદ ઉકેલાયો, રૂ. 1.71 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ

ભરૂચ જિલ્લાના જંબુસરની RTPCR લેબોરેટરીમાંથી AC તેમજ લેપટોપની ચોરીનો ગણતરીના કલાકમાં ભેદ ઉકેલી 2 આરોપીઓને મુદ્દામાલ સાથે જંબુસર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

New Update
  • જંબુસરની RTPCR લેબમાં થઈ હતી ચોરી

  • લેબમાંથી AC અને લેપટોપની ચોરીનો મામલો

  • ચોરી મામલે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી

  • રૂ. 1.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

ભરૂચ જિલ્લાના જંબુસરની RTPCR લેબોરેટરીમાંથી AC તેમજ લેપટોપની ચોરીનો ગણતરીના કલાકમાં ભેદ ઉકેલી 2 આરોપીઓને મુદ્દામાલ સાથે જંબુસર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 
ભરૂચ જિલ્લાના જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કોરોના સમયે RTPCR લેબોરેટરી કાર્યરત કરવામાં આવી હતી. જેમાં રહેલ 6 AC તેમજ લેપટોપની ચોરી થતા જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જેની તપાસ જંબુસર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર એ.વી.પાણમીયા તથા પી.એસ.આઈ. કે.બી.રાઠવા તથા સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી કરવામાં આવી હતી. તે દરમ્યાન મળેલ બાતમીના આધારે તાત્કાલિક એક્શન લઇ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન રીસોર્સિસના માધ્યમથી જંબુસરના મુબારક ઈસ્માઈલ મલેક તથા અનસ પટેલને ગણતરીના કલાકોમાં શોધી પોલીસ સ્ટેશને લાવી ચોરીના મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા આરોપીઓ ભાંગી પડેલ અને ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
મુબારક મલેક AC રીપેરીંગ તેમજ જુના AC લે-વેચ કરતો હોય તેની અમન પાર્ક ખાતે આવેલ દુકાનમાં 6 AC પૈકી 4 AC રાખેલ તથા અનસ પટેલે પોતાના મકાનના માળીયામાં એક લીનોવો કંપનીનું લેપટોપ તથા હોસ્પીટલના કમ્પાઉન્ડમાં આવેલ ખંડેર બીલ્ડીટંગમાં બીજા 2 AC, ડોર સ્ટેપલર, સ્ટેપલર પીન તથા કેલ્યુલેટર સાથે સંતાડેલા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે રૂ. 1.71 લાખના ચોરીના મુદ્દામાલ સાથે બન્ને આરોપીઓની અટકાયત કરી  કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, બિસ્માર માર્ગોના પગલે સમસ્યા

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વર નેશનલ હાઇવે

New Update
MixCollage-09-Jul-2025-08-21-PM-8778

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી પરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે.બીજી તરફ ચોમાસુ જામતા જ હાઇવે પર ખાડાઓની ભરમાર છે.તેવામાં રોજેરોજ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.વાહનોનું ભારણ અને બ્રિજ જર્જરિત,રસ્તા પર ખાડાઓ પડતા વાહન ચાલકો પોતાનો કિંમતી સમય સાથે ઇંધણ બગાડી રહ્યા છે.દિવસે દિવસે માથાના દુખાવા સમાન બનેલ આ ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે તે જરૂરી છે.તંત્ર યોગ્ય નિરાકરણ લાવે એવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે
Latest Stories