ભરૂચ : જંબુસરની RTPCR લેબમાં થયેલ AC-લેપટોપની ચોરીનો ભેદ ઉકેલાયો, રૂ. 1.71 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ

ભરૂચ જિલ્લાના જંબુસરની RTPCR લેબોરેટરીમાંથી AC તેમજ લેપટોપની ચોરીનો ગણતરીના કલાકમાં ભેદ ઉકેલી 2 આરોપીઓને મુદ્દામાલ સાથે જંબુસર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

New Update
  • જંબુસરની RTPCR લેબમાં થઈ હતી ચોરી

  • લેબમાંથી AC અને લેપટોપની ચોરીનો મામલો

  • ચોરી મામલે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી

  • રૂ. 1.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

ભરૂચ જિલ્લાના જંબુસરની RTPCR લેબોરેટરીમાંથી AC તેમજ લેપટોપની ચોરીનો ગણતરીના કલાકમાં ભેદ ઉકેલી 2 આરોપીઓને મુદ્દામાલ સાથે જંબુસર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 
ભરૂચ જિલ્લાના જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કોરોના સમયે RTPCR લેબોરેટરી કાર્યરત કરવામાં આવી હતી. જેમાં રહેલ 6 AC તેમજ લેપટોપની ચોરી થતા જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જેની તપાસ જંબુસર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર એ.વી.પાણમીયા તથા પી.એસ.આઈ. કે.બી.રાઠવા તથા સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી કરવામાં આવી હતી. તે દરમ્યાન મળેલ બાતમીના આધારે તાત્કાલિક એક્શન લઇ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન રીસોર્સિસના માધ્યમથી જંબુસરના મુબારક ઈસ્માઈલ મલેક તથા અનસ પટેલને ગણતરીના કલાકોમાં શોધી પોલીસ સ્ટેશને લાવી ચોરીના મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા આરોપીઓ ભાંગી પડેલ અને ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
મુબારક મલેક AC રીપેરીંગ તેમજ જુના AC લે-વેચ કરતો હોય તેની અમન પાર્ક ખાતે આવેલ દુકાનમાં 6 AC પૈકી 4 AC રાખેલ તથા અનસ પટેલે પોતાના મકાનના માળીયામાં એક લીનોવો કંપનીનું લેપટોપ તથા હોસ્પીટલના કમ્પાઉન્ડમાં આવેલ ખંડેર બીલ્ડીટંગમાં બીજા 2 AC, ડોર સ્ટેપલર, સ્ટેપલર પીન તથા કેલ્યુલેટર સાથે સંતાડેલા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે રૂ. 1.71 લાખના ચોરીના મુદ્દામાલ સાથે બન્ને આરોપીઓની અટકાયત કરી  કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.