ભરૂચ : નબીપુર-અસુરીયા નજીક NH-48 પર 2 ટેમ્પો વચ્ચે અકસ્માત, સદનશીબે કોઈ જાનહાનિ નહીં…

ભરૂચ જિલ્લાના નબીપુર-અસુરીયા નજીક NH-48 પર 2 ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે, આ અકસ્માતમાં સદનશીબે કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી.

New Update
  • નબીપુર-અસુરીયા નજીક NH-48 પર અકસ્માત

  • 2 આઇસર ટેમ્પો વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત

  • સદનશીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં થઈ

  • અકસ્માતના પગલે હાઇવે માર્ગ ઉપર ટ્રાફિકજામ

  • પોલીસે ક્રેનની મદદ લઈ ટ્રાફીકને હળવો કરાવ્યો

ભરૂચ જિલ્લાના નબીપુર-અસુરીયા નજીક NH-48 પર 2 ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકેઆ અકસ્માતમાં સદનશીબે કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી.

ભરૂચ જિલ્લાના નબીપુર-અસુરીયા નજીક NH-48 ઉપર નબીપુર અને અસુરીઆ વચ્ચે ભરૂચ તરફ જવાના માર્ગ પર 2 ટેમ્પો વચ્ચે માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં કડીથી સુરત તરફ કપચી ભરીને જઈ રહેલા એક આઇસર ટેમ્પો અન્ય આઇસર ટેમ્પો સાથે ભટકાતા બન્ને ટેમ્પો રોડ પર પલટી મારી ગયા હતા. જેના કારણે નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ભરૂચ ટ્રાફીક પોલીસે ઘટના સ્થળે પહોંચી ક્રેનની મદદથી ટ્રાફીક હળવો કરાવ્યો હતો.

Read the Next Article

ભરૂચ : યુનિયન સ્કૂલમાં શાળામાં પ્રવેશોત્સવ યોજાયો, બાળકોને શૈક્ષણિક કીટ આપીને આપ્યો આવકાર

ભરૂચ શહેરની યુનિયન સ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો.નાના બાળકોએ પ્રથમવાર શાળામાં પ્રવેશ મેળવતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો

New Update
  • ભરૂચમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી

  • યુનિયન સ્કૂલ ખાતે યોજાયો કાર્યક્રમ

  • શાળામાં બાળકોને આપવામાં આવ્યો આવકાર

  • બાળકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

  • બાળકોને શૈક્ષણિક કીટનું પણ કરાયું વિતરણ    

ભરૂચ શહેરની યુનિયન સ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો.નાના બાળકોએ પ્રથમવાર શાળામાં પ્રવેશ મેળવતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.આ પ્રસંગે શાળામાં બાળકોને શૈક્ષણિક કીટ આપીને તેમને ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો.

ભરૂચ શહેરની યુનિયન સ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો.નાના બાળકોએ પ્રથમવાર શાળામાં પ્રવેશ મેળવતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.આ પ્રસંગે શાળામાં બાળકોને શૈક્ષણિક કીટ આપીને તેમને ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ભૂતપૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત શાળાના ટ્રસ્ટીઓ તેમજ અન્ય આગેવાનો અને આમંત્રિત મહેમાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે પોતાના સંબોધનમાં શિક્ષણના મહત્વ પર પ્રકાશ ફેંકતા જણાવ્યું કે નાનપણથી જ શિક્ષણના સારા સંસ્કાર મળે તો બાળકનું ભવિષ્ય શાસ્ત્રોમાંસંશોધનમાં અને સમાજસેવામાં ઉજળું બની શકે છે.આ પ્રસંગે શાળાના શિક્ષકો અને ટ્રસ્ટીઓએ પણ બાળકોને પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું અને શૈક્ષણિક યાત્રાની શરૂઆત માટે શુભેચ્છાઓ પાઠવી હતી.