ભરૂચ: વરસાદી માહોલ વચ્ચે ફાંટા તળાવ વિસ્તારમાં ગંદકીએ માઝા મૂકી, સ્થાનિકો ત્રાહિમામ

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર આઠમાં આવેલ ફાટા તળાવ વિસ્તારમાં ગંદકીએ માઝા મૂકી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે

New Update
  • ભરૂચના ફાંટા તળાવ વિસ્તારના દ્રશ્યો

  • વરસાદી માહોલ વચ્ચે ગંદકીના દ્રશ્યો

  • ગંદકીએ માઝા મુકતા સ્થાનિકો ત્રાહિમામ

  • રોગચાળો ફાટી નિકળવાની દહેશત

  • નગર સેવા સદને પ્રશ્નના નિરાકરણની આપી ખાતરી

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર આઠમાં આવેલ ફાટા તળાવ વિસ્તારમાં ગંદકીએ માઝા મૂકી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર આઠમાં આવેલ ફાટા તળાવ અને તેની આસપાસના વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. હાલમાં જ વરસેલા વરસાદમાં ગંદકીએ જાણે માઝા મૂકી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.ગંદકીના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.આ અંગે નગર સેવા સદનમાં રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ આવ્યું ન હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા. ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતાં રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વર્તાઈ રહી છે ત્યારે આ અંગે નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવે જણાવ્યું હતું કે આવનારા સમયમાં ગંદકીના આ પ્રશ્નને દૂર કરવામાં આવશે સાથે ચોમાસાના સમયમાં ગંદકી ન થાય તેની તકેદારી રાખવા તેઓએ શહેરીજનોને અપીલ કરી હતી

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.