ભરૂચ: અમિત શાહના બાબા સાહેબ આંબેડકરના નિવેદનનો વિરોધ કરાયો

ભરૂચમાં સ્વયં સૈનિક દળ સહિતની સંસ્થાના સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સંસ્થાના આગેવાનો અને સભ્યો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં ભારે સૂત્રોચાર કરવામાં આવ્યા

New Update
  • ભરૂચમાં યોજાયું વિરોધ પ્રદર્શન

  • સ્વયં સૈનિક દળ સહિતની સંસ્થાઓ દ્વારા વિરોધ

  • અમિત શાહના બાબા સાહેબ આંબેડકરના નિવેદનનો વિરોધ

  • કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • અમિત શાહ માફી માંગે એવી માંગ

દેશના ગૃહ મંત્રી અમિત શાહે બાબાસાહેબ આંબેડકર અંગે કરેલ નિવેદનના વિરોધમાં ભરૂચમાં સ્વયં સૈનિક દળ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવાયો હતો. દેશના ગૃહ મંત્રી અમિત શાહે ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે સંસદમાં કરેલા નિવેદનનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે.
ત્યારે આજરોજ ભરૂચમાં સ્વયં સૈનિક દળ સહિતની સંસ્થાના સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સંસ્થાના આગેવાનો અને સભ્યો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં ભારે સૂત્રોચાર કરવામાં આવ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સાથે જ અમિત શાહ માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે.
Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, બિસ્માર માર્ગોના પગલે સમસ્યા

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વર નેશનલ હાઇવે

New Update
MixCollage-09-Jul-2025-08-21-PM-8778

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી પરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે.બીજી તરફ ચોમાસુ જામતા જ હાઇવે પર ખાડાઓની ભરમાર છે.તેવામાં રોજેરોજ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.વાહનોનું ભારણ અને બ્રિજ જર્જરિત,રસ્તા પર ખાડાઓ પડતા વાહન ચાલકો પોતાનો કિંમતી સમય સાથે ઇંધણ બગાડી રહ્યા છે.દિવસે દિવસે માથાના દુખાવા સમાન બનેલ આ ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે તે જરૂરી છે.તંત્ર યોગ્ય નિરાકરણ લાવે એવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે