ભરૂચ: અમિત શાહના બાબા સાહેબ આંબેડકરના નિવેદનનો વિરોધ કરાયો

ભરૂચમાં સ્વયં સૈનિક દળ સહિતની સંસ્થાના સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સંસ્થાના આગેવાનો અને સભ્યો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં ભારે સૂત્રોચાર કરવામાં આવ્યા

New Update
  • ભરૂચમાં યોજાયું વિરોધ પ્રદર્શન

  • સ્વયં સૈનિક દળ સહિતની સંસ્થાઓ દ્વારા વિરોધ

  • અમિત શાહના બાબા સાહેબ આંબેડકરના નિવેદનનો વિરોધ

  • કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • અમિત શાહ માફી માંગે એવી માંગ

Advertisment
દેશના ગૃહ મંત્રી અમિત શાહે બાબાસાહેબ આંબેડકર અંગે કરેલ નિવેદનના વિરોધમાં ભરૂચમાં સ્વયં સૈનિક દળ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવાયો હતો. દેશના ગૃહ મંત્રી અમિત શાહે ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે સંસદમાં કરેલા નિવેદનનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે.
ત્યારે આજરોજ ભરૂચમાં સ્વયં સૈનિક દળ સહિતની સંસ્થાના સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સંસ્થાના આગેવાનો અને સભ્યો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં ભારે સૂત્રોચાર કરવામાં આવ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સાથે જ અમિત શાહ માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે.
Advertisment
Read the Next Article

ભરૂચ ટ્રક અને સરકારી જીપ વચ્ચે અકસ્માત, જંબુસરના પ્રાંત અધિકારીનો ચમત્કારિક બચાવ

ભરૂચ જિલ્લાના આમોદ ચાર રસ્તા નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જંબુસરના પ્રાંત અધિકારી ડો. એસ.એમ. ગાંગુલીની સરકારી જીપને ટ્રક ચાલકે

New Update
accident આમોદ

ભરૂચ જિલ્લાના આમોદ ચાર રસ્તા નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જંબુસરના પ્રાંત અધિકારી ડો. એસ.એમ. ગાંગુલીની સરકારી જીપને ટ્રક ચાલકે અચાનક ટક્કર મારતા ઘટનાની તીવ્રતા વધી હતી. આ અકસ્માત દરમિયાન ગાંગુલી સાહેબનો ચમત્કારિક બચાવ થયો હતો.

Advertisment

પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રક ચાલકે જીપને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતાં તેની વાહન પરનો કાબૂ ગુમાવી બેઠો અને સીધી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે નજીકના વિસ્તારમાં ટ્રાફિક જામ જેવી સ્થિતિ ઊભી થઇ હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ દોડી આવી હતી અને ઘટના સ્થળ પર કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસ ટ્રાફિકને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો, અકસ્માત અંગે આગળની તપાસ હાથ ધરાઈ છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ, જો જીપ થોડી સેકન્ડ પણ આગળ વધી ગઈ હોત, તો મોટો વિઘાટ સર્જાઈ શક્યો હોત. સદભાગ્યે કોઈ જાનહાનિ ટળી છે.

Advertisment