ભરૂચ: અમિત શાહના બાબા સાહેબ આંબેડકરના નિવેદનનો વિરોધ કરાયો

ભરૂચમાં સ્વયં સૈનિક દળ સહિતની સંસ્થાના સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સંસ્થાના આગેવાનો અને સભ્યો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં ભારે સૂત્રોચાર કરવામાં આવ્યા

New Update
  • ભરૂચમાં યોજાયું વિરોધ પ્રદર્શન

  • સ્વયં સૈનિક દળ સહિતની સંસ્થાઓ દ્વારા વિરોધ

  • અમિત શાહના બાબા સાહેબ આંબેડકરના નિવેદનનો વિરોધ

  • કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • અમિત શાહ માફી માંગે એવી માંગ

Advertisment
દેશના ગૃહ મંત્રી અમિત શાહે બાબાસાહેબ આંબેડકર અંગે કરેલ નિવેદનના વિરોધમાં ભરૂચમાં સ્વયં સૈનિક દળ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવાયો હતો. દેશના ગૃહ મંત્રી અમિત શાહે ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે સંસદમાં કરેલા નિવેદનનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે.
ત્યારે આજરોજ ભરૂચમાં સ્વયં સૈનિક દળ સહિતની સંસ્થાના સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સંસ્થાના આગેવાનો અને સભ્યો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં ભારે સૂત્રોચાર કરવામાં આવ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સાથે જ અમિત શાહ માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે.
Advertisment
Read the Next Article

ભરૂચ: ચકચારી મનરેગા કૌભાંડની તપાસ માટે SITની રચના, 3 અધિકારીઓ સહિત 11 પોલીસકર્મીઓ કરશે તપાસ

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડની તપાસ માટે જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સીટની રચના કરવામાં આવી છે

New Update
  • ભરૂચનું ચકચારી મનરેગા કૌભાંડ

  • કૌભાંડની તપાસ માટે મોટો નિર્ણય

  • સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના

  • 11 પોલીસકર્મીઓ કૌભાંડની કરશે તપાસ

  • DYSP ડો.અનિલ સિસારાને સીટની કમાન

Advertisment
ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડની તપાસ માટે જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સીટની રચના કરવામાં આવી છે

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડની તપાસ માટે ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર કૌભાંડની તપાસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે સીટની રચના કરવામાં આવી છે. સીટની કમાન ડી.વાય.એસ.પી.ડો. અનિલ સિસારાને આપવામાં આવી છે.. જેમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર,એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત 11 પોલીસકર્મીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સીટની ટીમ તપાસ કરી ચાર્જશીટ ફાઇલ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના 56 ગામોમાં રૂપિયા 7.30 કરોડનું મનરેગા કૌભાંડ આચારાયું હોવાની આશંકા છે અને આ મામલે વેરાવળની બે એજન્સીઓ સામે ગુનો નોંધાયો છે ત્યારે પોલીસે હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા જંબુસર આમોદ અને હાંસોટ તાલુકાના જે ગામોમાં કૌભાંડ આચરાયુ છે ત્યાં પંચકેસ સહિતની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. હવે આગળ નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

Advertisment