ભરૂચ- અંકલેશ્વરમાં દશેરા નિમિત્તે ફાફડા જલેબીનું ધૂમ વેચાણ, પ્રભુ શ્રી રામને અતિપ્રિય હતી જલેબી!

અહંકાર રૂપી અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દશેરાની આજે દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે લોકો ફાફડા-જલેબીની જયાફત ઉડાવી રહ્યા છે દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાના જુદા જુદા કારણો છે.

New Update

આજે દશેરાના પર્વની ભરૂચ-અંકલેશ્વરમાં ઉજવણી

દશેરાના પર્વ નિમિત્તે ફાફડા જલેબીનું ધૂમ વેચાણ

લોકોએ સવારથી જ લાઇન લગાવી

450 રૂપિયા પ્રતિકિલોના ભાવે વેચાણ

પ્રભુ શ્રીરામને પ્રિય હતી જલેબી

આજરોજ દશેરાના પર્વ નિમિત્તે ફાફડા જલેબી આરોગવાની પરંપરા છે ત્યારે ભરૂચ અંકલેશ્વરમાં લોકોએ ફાફડા જલેબી ખરીદવા લાઈન લગાવી દીધી હતી છેલ્લા નોરતા સુધી મન મૂકીને ગરબા ખેલૈયાઓ ગાતા હોય છે. ભલે રાત્રે મોડે સુધી ગરબા રમ્યાં હોય પરંતુ બીજા દિવસે વહેલા ઉઠીને ફાફડા તથા જલેબી ખાવાનો અનેરો જ ઉત્સાહ રહેતો હોય છે. વહેલી સવારથી જ તો કેટલાક આગલી રાતથી જ ફરસાણની દુકાન પહોંચી જતા હોય છે.
તાજા તળેલાં ફાફડા, તીખું તમતમતું પપૈયાનું છીણ અને સાથે  મરચા અને ઘીથી લથબથ જલેબી ખાવા માટે લોકો લાઈનમાં ઉભા રહી જાય છે. અહંકાર રૂપી અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દશેરાની આજે દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે લોકો ફાફડા-જલેબીની જયાફત ઉડાવી રહ્યા છે.દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાના જુદા જુદા કારણો છે.
એક માન્યતા એવી છે કે ભગવાન શ્રીરામને જલેબી ખૂબ જ ભાવતી હતી. રામાયણ કાળમાં જલેબીને શશકૌલી કહેવામાં આવતી હતી. જલેબી ખૂબ મીઠી હોય છે તેથી તેની સાથે ફાફડા ખાવામાં આવે છે અને ત્યારથી દશેરાના પર્વએ ફાફડા અને જલેબી ખાવાની પરંપરા ચાલી આવી છે.અંકલેશ્વરમાં 450 રૂપિયે પ્રતિકિલો ફાફડા જલેબીનું વેચાણ થયું હતું
Read the Next Article

અંકલેશ્વર:પીરામણ પ્રાથમિક શાળામાં 6 વર્ષના બાળક પર લોખંડનો રેક પડતા મોત નિપજ્યું

અંકલેશ્વરના પીરામણ ગામની પ્રાથમિક શાળામાં રમી રહેલ 6 વર્ષના બાળકના માથા પર લોખંડનો રેક પડતા ગંભીર ઇજાના પગલે તેનું કરુણ મોત નિપજ્યું હતું

New Update
  • અંકલેશ્વરની પીરામણ પ્રાથમિક શાળાનો બનાવ

  • 6 વર્ષના બાળકનું મોત નિપજ્યું

  • રમી રહ્યો હતો એ દરમ્યાન લોખંડનો રેક પડ્યો

  • ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યું

  • એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરના પીરામણ ગામની પ્રાથમિક શાળામાં રમી રહેલ 6 વર્ષના બાળકના માથા પર લોખંડનો રેક પડતા ગંભીર ઇજાના પગલે તેનું કરુણ મોત નિપજ્યું હતું

અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 6 વર્ષીય બાળકે  જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પીરામણમાં રહેતા સુખદેવ વસાવા નામના વાલીનો છ વર્ષીય પુત્ર હાર્દિક આજરોજ બપોરના સમયે શાળામાં મૂકવામાં આવેલા રમતગમતના સાધનો પર રમી રહ્યો હતો. આ દરમિયાન રમતગમત માટે બનાવાય લોખંડનો રેક અચાનક જ ધારાશયી થઈ હાર્દિકના માથા પર પડ્યો હતો જેમાં બાળકને ગંભીર ઈજા પહોંચી હતી.આ દ્રશ્યો જોતા શાળાના શિક્ષકો અને અન્ય વિદ્યાર્થીઓ એકઠા થઈ ગયા હતા. બાળકને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ પીરામણમાં જ આવેલ એચ.એમ.પી. હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

જોકે તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે અકસ્માત મોત અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શાળામાં રમી રહેલા બાળકનું લોખંડનો રેક પડતા મોત નિપજ્યું હતું ત્યારે શાળાસંચાલકોની બેદરકારી સામે આવી છે.આ તરફ 6 વર્ષના લાડકવાયાનું મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.