ભરૂચ: શિયાળો શરૂ થતા જ લસણના ભાવે ગરમાટો લાવી દીધો, ભાવ રૂ.500ને પાર !

એક તરફ શિયાળો શરૂ થઈ ગયો છે જેના કારણે લસણની માંગ વધી છે. જોકે વધતી માંગ સામે લસણના ભાવ પણ સાતમાં આસમાને છે. જેના કારણે લોકો માત્ર 100 ગ્રામ લસણ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે.

New Update

આરોગ્યપ્રદ શિયાળાનો પ્રારંભ

Advertisment

શિયાળાના પ્રારંભે જ લસણના ભાવમાં વધારો

છૂટક માર્કેટમાં લસણનો ભાવ રૂ.500ને પાર

ઓછા ઉત્પાદનના કારણે ભાવમાં વધારો

લોકો માત્ર 100 ગ્રામ લસણ જ ખરીદવા મજબુર

એક તરફ શિયાળો શરૂ થઈ ગયો છે જેના કારણે લસણની માંગ વધી છે. જોકે વધતી માંગ સામે લસણના ભાવ પણ સાતમાં આસમાને છે. જેના કારણે લોકો માત્ર 100 ગ્રામ લસણ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે.
Advertisment
આરોગ્યપ્રદ શિયાળાનો પ્રારંભ થયો છે અને લોકો ફુલ ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે શિયાળાની ઋતુમાં વિવિધ પ્રકારની વાનગીઓ આરોગવામાં આવે છે જેમાં લસણનો ઉપયોગ મહત્તમ થાય છે.શિયાળો શરૂ થતાંની સાથે લીલા અને સુકા લસણના ભાવમાં એકાએક વધારો જોવા મળ્યો છે. છેલ્લાં કેટલાંક મહિનાથી લસણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ભરૂચમાં જથ્થાબંધ માર્કેટમાં હાલ લીલું અને સૂકું લસણ 350થી 400 રૂપિએ કિલો વેચાઈ રહ્યું છે તો છૂટક માર્કેટમાં લસણનો ભાવ 500થી 600 રૂપિયા કિલોએ પહોંચ્યો છે ત્યારે લોકો માત્ર 100 ગ્રામ લસણ ખરીદવા જ મજબુર બન્યા છે. આ અંગે લસણના વેપારી ચિન્ટુ ધોરાવાલાએ જણાવ્યું હતું કે હાલ નાશિક તરફથી લીલા લસણની આવક થઈ રહી છે જેના પગલે ભાવમાં વધારો છે. ગુજરાતમાં પાકતું  લસણ સ્થાનિક માર્કેટમાં એક થી દોઢ મહિના બાદ આવશે ત્યાર પછી ભાવમાં સામાન્ય ઘટાડો થાય તેવી આશા છે.
લસણએ જીવનજરૂરીઆતની વસ્તુ છે, તેનો ભાવ ગમે તેટલો હોય તે ભોજન બનાવવા માટે જોઈએ જ. અને આના કારણે લસણની માંગ સતત ચાલુ રહી છે અને પુરવઠો ઓછો હોવાથી ભાવ આસમાને પહોંચ્યો છે. આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદના અને ધુમ્મસના લીધે લસણના પાકની ગુણવત્તા બગડે છે અને લસણ સંકોચાયેલું પાકે છે. જેના કારણે ખેડૂતને પાકનું વળતર ઓછું મળે છે. અને આ વર્ષે કમોસી વરસાદના કારણે લસણના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે જેના કારણે ભાવ પર અસર જોવા મળી રહી છે.
Advertisment
Read the Next Article

ભરૂચ : જિલ્લા ભાજપ દ્વારા અહલ્યાબાઈ હોળકરની 300મી જન્મજ્યંતિ નિમિત્તે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું

ભરૂચના દાંડિયા બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે અહલ્યાબાઈ હોળકરની 300મી જન્મજયંતિ નિમિત્તે ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અહલ્યાબાઈ હોળકરની 300મી જન્મજયંતિ

  • ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા યોજાયો કાર્યક્રમ

  • પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું કરાયું આયોજન

  • ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ રહ્યા ઉપસ્થિત

  • અહલ્યાબાઇના જીવન સન્માન વિશે આપ્યું માર્ગદર્શન 

Advertisment

ભરૂચના દાંડિયા બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે અહલ્યાબાઈ હોળકરની 300મી જન્મજયંતિ નિમિત્તે ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા દાંડિયા બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે અહલ્યાબાઈ હોળકરની 300મી જન્મજયંતિ નિમિત્તે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ અને ભૂતપૂર્વ ભરૂચ જિલ્લા સંગઠન પ્રભારી જનક બગદાણા ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે તેઓએ  અહલ્યાબાઈના જીવન સન્માનસેવાભાવી કાર્ય અને સમાજસેવામાં આપેલા યોગદાન અંગે વિચારવૃત્તિ પૂર્વક ઉમદા ઉદાહરણો આપ્યા હતા.આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીભાજપના આગેવાનો તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પ્રબુદ્ધ  નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment