ભરૂચ: ઝઘડિયા પંથકમાં કેળના પાકમાં પનામાં રોગનો એટેક, ધરતીનો તાત ચિંતાતુર

ભરૂચના ઝઘડિયા પંથકમાં કેળના પાકમાં રોગનો પગ પેસારો થતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. આ રોગમાં  ગાંઠમાં સુકારો લાગે ત્યારબાદ આખુ થડ સુકાઈ જતા ઉભો પાક નષ્ટ થઈ રહ્યો છે.

New Update
  • ભરૂચના ઝઘડિયા પંથકમાં થાય છે ખેતી

  • વિવિધ ગામોમાં કેળના પાકની વિપુલ પ્રમાણમાં ખેતી

  • કેળના પાકમાં પનામાં નામનો રોગ

  • રોગના કારણે આખુ થડ સુકાઈ જાય છે

  • પાક નષ્ટ થતા ખેડૂતોને આર્થિક ફટકો

Advertisment
ભરૂચના ઝઘડિયા પંથકમાં કેળના પાકમાં રોગનો પગ પેસારો થતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. આ રોગમાં  ગાંઠમાં સુકારો લાગે ત્યારબાદ આખુ થડ સુકાઈ જતા ઉભો પાક નષ્ટ થઈ રહ્યો છે.
ભરુચના ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં વિપુલ પ્રમાણમા કેળાની ખેતી થતી હોય જેમાં ઇન્દોર, પાણેથા, વેલુગામ મોટા -વાસણા જેવા ગામોમા કેળના પાકની ખેતી બહોળા પ્રમાણમાં થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી ઝઘડીયા તાલુકાના મોટા -વાસણા ગામમા કેળના પાકમાં એક  વિચિત્ર પ્રકારનો રોગ જોવા મળે રહ્યો છે.જેમાં કેળ પરિપક્વ થઇ જાય અને કેળ તૈયાર થઈ જાય છે ત્યારબાદ આ રોગના કારણે તેની ગાંઠમાં સુકારો જોવા મળે છે અને ધીરે ધીરે પૂરેપૂરું થડ સુકાઈ જાય છે.આ રોગનું નામ પનામા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.ખેડૂતોના  જણાવ્યા અનુસાર આ રોગ એટલો ખતરનાક છે કે જો કોઈ ખેતરમાં પનામાં રોગનો એટેક હોય અને જો કોઈ વ્યક્તિ એ ખેતરમાં જાય અને ત્યારબાદ બીજાના ખેતરમાં જાય તો આ રોગ  તે જમીનમાં પણ પ્રવેશે જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.ખેડૂતોના જણાવ્યા અનુસાર જો આ રોગ પર તંત્ર દ્વારા કોઈ નિયંત્રણ નહીં કરવામાં આવે તો કેળાન પાક બરબાદ થઈ જશે તેમ જણાવ્યું હતું
Latest Stories