ભરૂચ: 10 વર્ષની નિર્ભયા જલ્દી સ્વસ્થ થાય એ માટે સુપ્રસિદ્ધ સારસા માતાજીના મંદિરે ભજન-કિર્તતનનો કાર્યક્રમ યોજાયો

ભરૂચમાં 10 વર્ષની બાળકી સાથે આચરાયેલ દુષ્કર્માના મામલામાં બાળકી જલ્દી સ્વસ્થ થાય તે માટે ઝઘડીયાના રાજપાડી નજીક આવેલ સુપ્રસિદ્ધ સારસા માતાજીના મંદિરે ભજન કીર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચમાં બન્યો હતો બનાવ

  • 10 વર્ષની બાળકી સાથે આચારાયું દુષ્કર્મ

  • બાળકી ગંભીર હાલતમાં સારવાર હેઠળ

  • સારસા માતાજીના મંદિરે ભજપ કીર્તન કરાયુ

  • બાળકી જલ્દી સ્વસ્થ થાય એ માટે કરાય પ્રાર્થના

ભરૂચ જિલ્લાના એક ગામમાં 10 વર્ષની બાળકી સાથે આચરાયેલા દુષ્કર્માના મામલામાં બાળકી જલ્દી સ્વસ્થ થાય તે માટે સુપ્રસિદ્ધ સારસા માતાજીના મંદિરે ભજન કીર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના એક ગામમાં 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.જેમાં આરોપીએ વિકૃતિની તમામ હદ વટાવી દેતા બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી ,અને હાલ તે વડોદરાની સયાજી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.ત્યારે બાળકી જલ્દી સ્વસ્થ થાય તે માટે રાજપાડી નજીક આવેલ સુપ્રસિદ્ધ સારસા માતાજીના મંદિરે ભજન કીર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.સ્થાનિક આગેવાન ધનરાજ વસાવા તેમજ ગ્રામજનો દ્વારા મંદિરના પટાંગણમાં ભજન કરવામાં આવ્યા હતા અને બાળકી જલ્દી સાજી થઈ જાય તે માટે માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી.આ સાથે જ આ કઠિન પરિસ્થિતિ સહન કરવાની પરિવારજનોને માતાજી શક્તિ આપે તે માટે પણ પ્રાર્થના કરાઈ હતી.
Read the Next Article

અંકલેશ્વર : ઉદ્યોગ મંડળના પ્રતિષ્ઠા ભર્યા ચૂંટણી જંગમાં 86.63 ટકા નોંધાયું મતદાન,20 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં બંધ

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની મેનેજીંગ કમિટી માટેની ચૂંટણી ઉત્તેજનાસભર માહોલમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.આ ચૂંટણીમાં 86.63 ટકા મતદાન નોંધાયું હતું.

New Update
  • AIAની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન

  • 1057 મતદારોએ કર્યો મતાધિકારનો ઉપયોગ

  • 86.63 ટકા નોંધાઈ મતદાનની ટકાવારી

  • ઉમેદવારોના ભાવિ થયા મતપેટીમાં સીલ

  • સહયોગ કે વિકાસ રાતે આવશે પરિણામ  

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની મેનેજીંગ કમિટી માટેની ચૂંટણી ઉત્તેજનાસભર માહોલમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.આ ચૂંટણીમાં 86.63 ટકા મતદાન નોંધાયું હતું.સહયોગ અને વિકાસ પેનેલના ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા હતા.

અંકલેશ્વરના ઉદ્યોગનગરના માળખાની દેખરેખ રાખતા ઉદ્યોગ મંડળનો ચૂંટણીનો જંગ તારીખ 20મી જૂન શુક્રવારના રોજ બપોરના ત્રણ કલાકે સંપન્ન થયો હતો.આ ચૂંટણીમાં કોર્પોરેટ,રિઝર્વ અને જનરલ કેટેગરી માટે ચૂંટણીમાં મતદારોએ મતદાન કર્યું હતું.AIA ચૂંટણીમાં કુલ 1229 મતદારો નોંધાયા છે,જેમાંથી 1057 મતદારોએ મતાધિકારનો ઉપયોગ સાથે 86.63 ટકા મતદાન નોંધાયું હતું.અને ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થયા હતા.

આજરોજ સાંજના 4 કલાક બાદ મત ગણતરીની શરૂઆત કરવામાં આવશે,અને મધ્યરાત્રિ સુધીમાં ચૂંટણીમાં કઈ પેનલનો સંઘ કાશીએ પહોંચશે તે સ્પષ્ટ થઇ જશે.

ઉદ્યોગ મંડળમાં સત્તારૂઢ સહયોગની સામે વિકાસ પેનલનો મુકાબલો રસપ્રદ બની રહેશે. કોર્પોરેટની એક બેઠક માટે 2 , રિઝર્વ કેટેગરીની એક બેઠક માટે 2 અને જનરલની 8 બેઠક પર 16 ઉમેદવાર મેદાનમાં છે. સત્તા મેળવવા માટે 15 બેઠક જરૂરી છે.

AIA સંકુલ ખાતે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા યોજાઇ હતી.હવે જોવાનું એ રહ્યું કે સત્તારૂઢ સહયોગ પેનલને ઉમેદવારોનો સહયોગ મળશે કે વિકાસ પેનલના મજબૂત દાવેદારી પર મતદારો પસંદગીનો કળશ ધોળે છે.