New Update
-
ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર
-
આદિવાસી સંવિધાન સેનાએ આવેદનપત્ર પાઠવ્યું
-
GMDCના જમીન સંપાદન સામે વિરોધ
-
ભૂગર્ભ જળ નીચા જશે એવો મત
-
પ્રોજેકટ રદ્દ કરવાની માંગ
ભારત આદિવાસી સંવિધાન સેનાએ GMDC દ્વારા જમીન સંપાદનને પગલે ભૂગર્ભ જળ નીચા જવા સહિત કરજણ ડેમની નહેરને ડાયવર્ટ કરવા મુદ્દે કલકેટર આવેદનપત્ર પાઠવ્યું.
મહામહિમ રાજપાલને સંબોધીને આજરોજ ભારત આદિવાસી સંવિધાન સેના ભરૂચના દિલીપ વસાવા,આમલઝાર ગ્રૂપ ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ સહિત આગેવાન બચુ વસાવા,ધનરાજ વસાવા,હેમેન્દ્ર કોઠીવાલા દ્વારા જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર પાઠવ્યું હતું.
જેમાં જણાવ્યું અનુસાર ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વાલિયા,ઝઘડિયામાં 11000 એકર જમીન આ બંને પ્રોજેકટમાં સંપાદિત થવાની છે.જેને પગલે શિડયુલ-5માં આવતા આજુબાજુના ગામોમાં ભૂગર્ભ જળ નીચે જવા અને કરજણ ડેમની ડાબા કાંઠાની નહેર જી.એમ.ડી.સી.ના નવા પ્રોજેકટના કારણે ડાયવર્ટ કરવામાં આવનાર હોવાના આક્ષેપ સાથે વાલિયા-ઝઘડિયામાં પર્યાવરણ સહિત માનવજાતિ,પશુ પક્ષીઓ તેમજ પ્રાણીઓના હિતને ધ્યાનમાં રાખી આ પ્રોજેકટ રદ્દ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
Latest Stories