ભરૂચ : “બિરસા મુંડા રથયાત્રા” નેત્રંગ આવી પહોચતા ભવ્ય સ્વાગત કરાયું, સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત

ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનની શરૂઆત કરાવી હતી.....

New Update
  • સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા બિરસા મુંડા રથયાત્રાનું આયોજન કરાયું

  • બિરસા મુંડા રથયાત્રા નેત્રંગ ખાતે આવી પહોચતા ભવ્ય સ્વાગત કરાયું

  • નેત્રંગ ચાર રસ્તા પર બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા

  • બિરસા મુંડાના વિચારોને જન-જન સુધી પહોંચાડવાની જરૂર : સાંસદ

  • મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો-ગ્રામજનોની ઉપસ્થિતિ

ભગવાન બિરસા મુંડાના વિચારો જન-જન સુધી પહોચે તે હેતુથી સરકાર દ્વારા બિરસા મુંડા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છેત્યારે બિરસા મુંડા રથયાત્રા ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવી પહોચતા સાંસદ મનસુખ વસાવાની આગેવાનીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનની શરૂઆત કરાવી હતી. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે ભગવાન બિરસા મુંડા રથયાત્રાની શરૂઆત કરતાં આ રથયાત્રા નેત્રંગ ચાર રસ્તા ખાતે આવી પહોંચતા ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને આદિવાસી સમાજના આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.

સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કેભગવાન બિરસા મુંડાના વિચારો જન-જન સુધી પહોંચે અને આદિવાસી સમાજ પ્રેરણા મેળવે તે માટે માટે બિરસા મુંડા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાની માહિતી જન-જન સુધી પહોંચાડવી અત્યંત જરૂરી બન્યું છે. આ પ્રસંગે ભરૂચ જીલ્લા અને તાલુકાના પદાધિકારી તેમજ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ : પોલીસ દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ભવ્ય નવરાત્રીનું મહોત્સવનો પ્રારંભ, IG સંદીપ સિંહે કર્યું પૂજન અર્ચન

ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા શહેરના મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેનું વડોદરા રેન્જના આઈ.જી સંદીપસિંહના

New Update

નવ નવેલી રાતનો આજથી પ્રારંભ

ભરૂચ પોલીસ દ્વારા ભવ્ય આયોજન

હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ગરબા મહોત્સવનું આયોજન

પૂજન અર્ચન સાથે પ્રારંભ કરાયો

પોલીસ અધિકારીઓ- કર્મચારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા શહેરના મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેનું વડોદરા રેન્જના આઈ.જી સંદીપસિંહના હસ્તે પૂજન અર્ચન કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો
ભરૂચ શહેરમાં જગત જનનીમાં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે ત્યારે ભરૂચ પોલીસ દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે વડોદરા રેન્જના આઈ.જી.સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસવડા અક્ષય રાજ મકવાણાના હસ્તે શાસ્ત્રોક્તવિધિ અનુસાર પૂજન અર્ચન કરી ગરબા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.ખેલૈયાઓ સુરક્ષા ને સલામતી સાથે ગરબા રમી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મહિલાઓ માટે હેલ્પ ડેસ્ક તથા આરોગ્યની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. નવરાત્રિના નવ દિવસ ભરૂચ પોલીસ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમશે.