ભરૂચ : “બિરસા મુંડા રથયાત્રા” નેત્રંગ આવી પહોચતા ભવ્ય સ્વાગત કરાયું, સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત

ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનની શરૂઆત કરાવી હતી.....

New Update
  • સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા બિરસા મુંડા રથયાત્રાનું આયોજન કરાયું

  • બિરસા મુંડા રથયાત્રા નેત્રંગ ખાતે આવી પહોચતા ભવ્ય સ્વાગત કરાયું

  • નેત્રંગ ચાર રસ્તા પર બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા

  • બિરસા મુંડાના વિચારોને જન-જન સુધી પહોંચાડવાની જરૂર : સાંસદ

  • મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો-ગ્રામજનોની ઉપસ્થિતિ

ભગવાન બિરસા મુંડાના વિચારો જન-જન સુધી પહોચે તે હેતુથી સરકાર દ્વારા બિરસા મુંડા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છેત્યારે બિરસા મુંડા રથયાત્રા ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવી પહોચતા સાંસદ મનસુખ વસાવાની આગેવાનીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનની શરૂઆત કરાવી હતી. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે ભગવાન બિરસા મુંડા રથયાત્રાની શરૂઆત કરતાં આ રથયાત્રા નેત્રંગ ચાર રસ્તા ખાતે આવી પહોંચતા ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને આદિવાસી સમાજના આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.

સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કેભગવાન બિરસા મુંડાના વિચારો જન-જન સુધી પહોંચે અને આદિવાસી સમાજ પ્રેરણા મેળવે તે માટે માટે બિરસા મુંડા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાની માહિતી જન-જન સુધી પહોંચાડવી અત્યંત જરૂરી બન્યું છે. આ પ્રસંગે ભરૂચ જીલ્લા અને તાલુકાના પદાધિકારી તેમજ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: હાંસોટથી કંટીયાળજાળને જોડતા માર્ગ પર વનખાડીનું પાણી ફરી વળ્યું, વાહનવ્યવહાર બંધ

ભરૂચના હાંસોટ પંથકમાં ખાબકેલ 4 ઇંચ જેટલા વરસાદના પગલે હાંસોટથી કંટીયાળજાળને જોડતા મુખ્યમાર્ગ પર દંત્રાઇ ગામ નજીક વનખાડીનું પાણી માર્ગ પર ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો

New Update
  • ભરૂચના હાંસોટમાં અનરાધાર વરસાદ

  • 4 ઇંચ વરસાદ ખાબક્યો

  • કંટીયાળજાળને જોડતો માર્ગ બંધ થયો

  • વનખાડીના પાણી ફરી વળ્યા

  • પુલની કામગીરીના પગલે ડાયવર્ઝન બનાવાયું હતું

ભરૂચના હાંસોટ પંથકમાં ખાબકેલ 4 ઇંચ જેટલા વરસાદના પગલે હાંસોટથી કંટીયાળજાળને જોડતા મુખ્યમાર્ગ પર દંત્રાઇ ગામ નજીક વનખાડીનું પાણી માર્ગ પર ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો

ભરૂચના હાંસોટમાં ખાબકેલ અનરાધાર વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હાંસોટથી કંટિયાજાળને જોડતા મુખ્ય માર્ગ પર દંતરાઈ ગામ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝન પરથી પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો છે. હાંસોટ પંથકમાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ત્યારે દંતરાય ગામ નજીક ચાલી રહેલ ખાડીપુલની કામગીરીના પગલે બાજુ પર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું જેના પરથી વન ખાડીનું પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો છે.

માર્ગ બંધ થતાં આસપાસના ગ્રામજનોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી મંગળવાર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે લોકોને સતર્ક રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.