ભરૂચ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલ પ્રચંડ વિજયની ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપના પ્રચંડ વિજયની ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી

New Update
  • રાજ્યમાં યોજાયેલ ચૂંટણીના પરીણામ જાહેર

  • ભાજપને મળી પ્રચંડ જીત

  • જિલ્લા ભાજપ દ્વારા વિજ્યોત્સવ માનવાયો

  • ફટાકડા ફોડી મીઠાઈ વહેંચવામાં આવી

  • સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનો જોડાયા

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપના પ્રચંડ વિજયની ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી
રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી તેમજ પેટાચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. મોટાભાગની નગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે ઠેર ઠેર વિજયઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ ભાજપ કાર્યાલય ખાતે વિજયઉત્સવ મનાવવામાં આવ્યો હતો. ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ફટાકડા ફોડી તેમજ મીઠાઈ વહેંચી વિજયઉત્સવ મનાવ્યો હતો.આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા,ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.