New Update
ભરૂચમાં આવેલી છે જે.પી.કોલેજ
કોલેજમાં રક્તદાન શિબિર યોજાય
ભારતીય નવનિર્માણ સંઘ દ્વારા આયોજન
યુનિટી બ્લડ બેંકનો સહયોગ સંપડ્યો
વિદ્યાર્થીઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન
ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
ભરૂચના ભારતીય નવનિર્માણ સંઘ અને યુનિટી બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. શિબિરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને માનવ સેવા માટે રક્તદાન કર્યું હતું.આ પ્રસંગે સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટી, ભાજપ યુવા મોરચાના પ્રમુખ વૃષભ પટેલ, કોલેજના આચાર્ય નિતિન પટેલ તેમજ કોલેજ પરિવાર ઉપસ્થિતિ રહયો હતો. ડોક્ટરો દ્વારા વિદ્યાર્થીઓને રક્તદાનના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Latest Stories